બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / cough symptoms in pregnancy harms the woman
Bijal Vyas
Last Updated: 03:37 PM, 20 March 2023
પ્રેગ્નેન્સી એક નેચરલ પ્રોસેસ છે, આ દરમિયાન મહિલાઓની બોડી ખૂબ જ સેન્સેટિવ બની જાય છે. ગર્ભમાં રહેલા બાળકને કોઇ પણ રીતની મુશ્કેલી ના થાય તેનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. વાતાવરણમાં ઠંડક થાય ત્યારે શરદી ખાંસી થવી તે સામાન્ય વાત છે. અત્યારે શિયાળો તો પૂરો થઇ ગયો છે. પરંતુ બદલાતા વાતાવરણમાં ખાંસ હજી લોકોને હેરાન કરી રહી છે. પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધી તકલીફો થઇ જાય છે. મોટાભાગે ખાંસી થાય એટલે ફેફસાં માં દુખાવો થવા લાગે છે. જો પ્રેગ્નેન્સીમાં ખાંસી થાય તો વધારે તકલીફદાયક બને છે. આ દરમિયાન વિશેષ સાવધાની રાખવાની જરુર છે.
1. નાસ જરુરથી લો
ખાંસી થવા પર નાસ લેવાથી ફાયદો થાય છે. નાસ લેવાથી કફ પીગળીને નીચેની તરફ જતો રહે છે અને જો ખાસી થઇ છે તો કફ મોંઢેથી ગળફો થઇને બહાર આવી જાય છે. ખાંસી, શરદીમાં નાસ લેવાથી ઘણી રાહત મળે છે.
2. કોગળા કરો
મીઠાવાળા પાણીથી કોગળા(ગાર્ગલ્સ) કરવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટી-માઇક્રોબિલયલ ગુણ રહેલા છે. તે ગળાની ખરાશને ઓછી કરવાની સાથે ખાંસીમાં પણ આરામ આપે છે, અને ગળામાં આવેલા સોજાને ઓછો કરે છે.
3. મધ ખાઓ
ખાંસીમાં મધ રામબાણ ઇલાજ છે. મધમાં એન્ટી-ઇફ્લેમેટરી રહેલ છે. તેથી હુંફાળા પાણીમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી તરત જ તમે રાહત અનુભવશો.
4. આદુ પણ ફાયદામંદ
આદુ પ્રાકૃતિક ઔષધીનું કામ કરે છે. તેમાં એન્ટી-ઇફ્લેમેટરી, એન્ટી બાયોટિક, એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે. આ ખાંસીને ઘટાડવામાં મદદ કરે છે.
5. ગરમ સૂપ પણ લઇ શકાય
પાલક, બીટ, ટામેટા વગેરેનો સૂપ તમે પી શકો છો. સૂપ પીવાથી ખાંસીમાં રાહત થશે. જો તમે નોનવેજ ખાઓ છો તો ચિકન સૂપ પણ લઇ શકો છો. તેમાં એન્ટી-ઇફ્લેમેટરી ગુણ રહેલ છે જે ગળાના સોજામાં રાહત આપશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir