બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / Contract based recruitment canceled in Maharashtra, will it happen in Gujarat? How much job security is there for employees in contract system?
Vishal Khamar
Last Updated: 09:02 PM, 20 October 2023
બે પડોશી રાજ્ય, બંનેમાં ભાજપની સરકાર, એક રાજ્યએ જે નિર્ણય કર્યો તેવો જ નિર્ણય બીજુ રાજ્ય કરે એવી અપેક્ષા. ટૂંકમાં કહેવાયેલી આ વાતનો વિસ્તાર સમજીએ. જે નિર્ણયની ચર્ચા કરવાની છે તે મહારાષ્ટ્ર સરકારે કરેલો છે જ્યાં ભાજપ અને એકનાથ શિંદે જૂથની શિવસેનાની સરકાર છે. વર્તમાન મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર રાજ્યમાં સરકારી નોકરીઓમાં કરાર આધારીત ભરતી રદ કરવાનું નક્કી કર્યુ છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની વાત માનીએ તો છેલ્લા કેટલાક સમયથી શરદ પવાર જ કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહ્યા હતા અને જે તે સમયે વર્ષ 2003માં જયારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP ગઠબંધનની સરકાર હતી ત્યારે પહેલીવાર મહારાષ્ટ્રમાં શિક્ષણ વિભાગમાં કરાર આધારિત ભરતીનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો.
ગુજરાતમાં 2006 પછી આઉટસોર્સિંગથી ભરતી લગભગ મને-કમને સર્વસ્વીકૃત બની ચુકી છે અને હવે મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને પગલે ગુજરાતમાં એ ચર્ચા થયા વગર નહીં રહે કે રાજ્યમાં કરાર આધારિત ભરતીની પ્રથા ક્યારે બંધ થશે. ગુજરાતમાં આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા કર્મચારીઓનું પારાવાર શોષણ થયું હોય તેવી ઘટનાઓ પણ સામે આવી છે, સમયાંતરે સરકારે આવી કંપનીઓને બ્લેકલીસ્ટ પણ કરી હોય પરંતુ થોડા સમય બાદ પરિસ્થિતિ જૈસે થે જેવી થઈ જાય. અત્યારે તો એ હકીકતનો સામનો કરવો જ પડશે કે રાજ્યમાં કરાર આધારિત કર્મચારીઓના શોષણનો છેડો ક્યારે આવશે તેના વિશે કોઈ સોય ઝાટકીને કહેવા તૈયાર નથી. સરકારને પણ એ પૂછવું રહ્યું કે કરાર આધારિત ભરતી બંધ કરવામાં મુશ્કેલી શું નડે છે?. કોઈ કર્મચારીની આર્થિક સ્થિતિ સદ્ધર થશે તો તેની સામાજિક સ્થિતિ પણ આપોઆપ સદ્ધર થશે.
મહારાષ્ટ્ર સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે સરકારી નોકરીઓમાં કરાર આધારીત ભરતી રદ કરી છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં હવે કરાર આધારીત ભરતી નહીં થાય. મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાતમાં અમલવારી થશે કે નહીં તેની ચર્ચા. ગુજરાતમાં અનેક સરકારી પદ ઉપર કરાર આધારીત ભરતી કરવામાં આવી છે. ગુજરાત સરકાર કરાર આધારીત ભરતી રદ કરશે કે નહીં તે સવાલ. ગુજરાતમાં ઘણાં સમયથી કરાર આધારીત ભરતી રદ થવાની માગ થઈ રહી છે.
રાજ્યના કરાર આધારીત કર્મીઓની માગ શું છે?
મહારાષ્ટ્ર સરકારનો પરિપત્ર શું હતો?
મહારાષ્ટ્ર સરકારે 2003માં પરિપત્ર બહાર પાડ્યો હતો. મહારાષ્ટ્રની વર્તમાન સરકારે કરાર આધારિત ભરતીનો GR રદ કર્યો છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તત્કાલિન કોંગ્રેસ-NCPની સરકારનો આ પરિપત્ર હતો. મહારાષ્ટ્રમાં 13 માર્ચ 2003ના રોજ કોન્ટ્રાક્ટ ભરતીનો પહેલીવાર નિર્ણય કર્યો હતો. કોંગ્રેસ અને NCPની સરકારે શિક્ષણ વિભાગમાં કોન્ટ્રાક્ટ પ્રથા શરૂ કરી હતી. 2010માં અશોક ચવ્હાણની સરકારે 6 હજાર કરાર આધારિત ભરતીનો GR બહાર પાડ્યો હતો. સપ્ટેમ્બર 2021માં ઉદ્ધવ ઠાકરેની સરકારે કરાર આધારિત ભરતીને મંજૂરી આપી હતી. મહારાષ્ટ્રમાં પોલીસ વિભાગમાં પણ કરાર આધારિત ભરતી થઈ રહી હતી. છેલ્લા ઘણાં સમયથી મહારાષ્ટ્રમાં કરાર આધારિત ભરતી રદ કરવાની માગ હતી. વર્તમાન સરકારે કરાર આધારિત ભરતી રદ કરવાનો નિર્ણય કર્યો છે.
નીતિ આયોગનો રિપોર્ટ શું કહે છે?
નિયત સમય માટે નિયત પગારથી કામ કરતા કર્મચારી માટે રિપોર્ટ હતો. રિપોર્ટ પ્રમાણે 2020-21માં આવા કર્મચારીની દેશભરમાં સંખ્યા 77 લાખ હતી. નીતિ આયોગનો અંદાજ છે કે 2029-30 સુધીમાં આવા કર્મચારી 2.35 કરોડ હશે. નીતિ આયોગે આવા કર્મચારીની સામાજિક સુરક્ષા વધારવા ભલામણ કરી હતી.
ગુજરાત સરકારે તાજેતરમાં શું નિર્ણય કર્યો?
રાજ્ય સરકારે તાજેતરમાં કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો હતો. ફરજ દરમિયાન કરાર આધારિત કર્મચારીનું અવસાન થાય તો ઉચ્ચક 14 લાખની સહાય. આ લાભ વર્ગ-3 અને 4ના કરાર આધારિત કર્મચારીને મળશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir