બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Congress received the Income Tax notice Rahul said If the government changes, action will be taken against those who destroy democracy
Last Updated: 09:47 PM, 29 March 2024
લોકસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસને નોટિસ આપવામાં આવી છે. આ અંગે રાહુલ ગાંધીએ સત્તાધારી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી હતી. રાહુલ ગાંધીએ પોસ્ટમાં કહ્યું હતું કે, એવી કાર્યવાહી કરવામાં આવશે કે ફરી આ બધું કરવાની કોઈની હિંમત નહીં થાય. આ મારી ગેરંટી છે. તમને જણાવી દઈએ કે ભાજપ લોકસભા ચૂંટણી માટે 'મોદીની ગેરંટી' અભિયાન ચલાવી રહી છે, જે તેમના ચૂંટણી વચનો પૂરા કરવા માટે વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના અગાઉના વીડિયોને ટેગ કર્યા હતા અને તેમની પોસ્ટ સાથે #BJPTaxTerrorism હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો.
ADVERTISEMENT
जब सरकार बदलेगी तो ‘लोकतंत्र का चीरहरण’ करने वालों पर कार्रवाई ज़रूर होगी!
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2024
और ऐसी कार्रवाई होगी कि दोबारा फिर किसी की हिम्मत नहीं होगी, ये सब करने की।
ये मेरी गारंटी है।#BJPTaxTerrorism pic.twitter.com/SSkiolorvH
ADVERTISEMENT
બીજી તરફ કોંગ્રેસે કહ્યું કે પાર્ટીને પાછલા વર્ષોના ટેક્સ રિટર્નમાં વિસંગતતાઓ માટે 1,800 કરોડ રૂપિયા જમા કરાવવા માટે આવકવેરા વિભાગ તરફથી નવી નોટિસ મળી છે. નોટિસને ગંભીર ગણાવતા કોંગ્રેસે ભાજપ પર કર આતંકવાદનો આરોપ લગાવ્યો. કોંગ્રેસના નેતા જયરામ રમેશે પત્રકાર પરિષદમાં કહ્યું કે કોંગ્રેસને આર્થિક રીતે નબળી બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ અમે ડરવાના નથી. ઈન્કમટેક્સ વિભાગની આ નોટિસ સામે કોંગ્રેસે સપ્તાહના અંતે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનું પણ નક્કી કર્યું છે.
"Yesterday, the Indian National Congress received fresh notices from the IT department to pay Rs 1823.08 crores.
— Congress (@INCIndia) March 29, 2024
In light of this egregious attack on democracy and the imposition of tax terrorism on our party amidst the crucial Lok Sabha Elections, all PCCs are requested to… pic.twitter.com/HXHQhJChAm
ADVERTISEMENT
વધુ વાંચો : તમારી લોકસભા સીટ પરથી ચૂંટણી લડનાર ઉમેદવાર પાસે કેટલી સંપત્તિ છે? આ વેબસાઈટ પરથી મળશે તમામ જાણકારી
ADVERTISEMENT
આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસે કહ્યું હતું કે કથિત આવકવેરા ડિફોલ્ટને કારણે પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. પાર્ટીને કથિત ઓવરડ્યુ ટેક્સમાં રૂ. 130 કરોડ ચૂકવવા માટે નોટિસ આપવામાં આવી હતી. કોંગ્રેસે કહ્યું કે તેને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી છે, જેમાં તેને રૂ. 1,823.08 કરોડ ચૂકવવાનું કહેવામાં આવ્યું છે, અને આરોપ લગાવ્યો છે કે ભાજપ આવકવેરા કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.