બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Vaidehi
Last Updated: 11:16 AM, 22 January 2024
અયોધ્યામાં રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની વચ્ચે કોંગ્રેસનાં એક નેતાએ રામમંદિર નિર્માણનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને આપ્યો છે. તેમણે કહ્યું કે જો નરેન્દ્ર મોદી દેશનાં પ્રધાનમંત્રી ન હોત તો રામમંદિર ન બની શક્યું હોત.. રામમંદિર માટે પ્રધાનમંત્રી મોદીનાં વખાણ કરનારા આ કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છએ જે પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ન થવાનાં નિર્ણય માટે કોંગ્રેસની આલોચના પણ કરી ચૂક્યાં છે.
PM મોદીનાં ભરપૂર વખાણ
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે મીડિયા સાથેની વાતચીત દરમિયાન PM મોદીનાં વખાણ કરતાં કહ્યું કે તેમના કારણે જ આજે આ શુભ દિવસ આવ્યો છે. કલ્કિ પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે "મંદિરનું નિર્માણ કોર્ટનાં નિર્ણયથી થયું છે. સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે. ભગવાન શ્રીરામ જન્મભૂમિનાં મંદિરનું નિર્માણ શરૂ થયું. હવે પ્રાણ-પ્રતિષ્ઠા છે. આ વાત સાચી છે કે મંદિરનું નિર્માણ કોર્ટનાં નિર્ણયથી થયું છે પણ જો મોદી દેશનાં પ્રધાનમંત્રી ન હોત, જો તેમની જગ્યાએ કોઈ અન્ય PM હોત તો આ નિર્ણય ન આવ્યો હોત, આ મંદિર ન બની શક્યું હોત. હું રામમંદિરનાં નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠાનાં આ શુભદિવસનો શ્રેય નરેન્દ્ર મોદીને આપવા ઈચ્છું છું."
તેમણે કહ્યું કે "કેટલીયે સરકાર આવી, કેટલાય પ્રધાનમંત્રી આવ્યાં, વિશ્વ હિંદૂ પરિષદ, RSS, બજરંગ દળ, સંત-મહાત્માઓએ મોટા બલિદાન આપ્યાં. ઘણો લાંબો સંઘર્ષ છે પણ જો મોદી પ્રદાનમંત્રી ન હોત તો મંદિરનું નિર્માણ ન થઈ શક્યું હોત"
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir