બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Compromise the health of people coming to the beach of Somnath
Malay
Last Updated: 10:54 AM, 2 October 2023
Gir Somnath News: એક તરફ સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે. એવામાં બીજી બાજુ ગીર સોમનાથના દરિયામાં ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે. જે અંગે તંત્ર પણ જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઇ રહ્યું છે. આ અંગેનો વીડિયો એક જાગૃત યુવતી દ્વારા શેર કરવામાં આવ્યો છે. પ્રદૂષિત પાણી દરિયામાં ભેળવી દેવાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.
સોમનાથ દરિયા કિનારે ગંભીર બેદરકારી
પવિત્ર યાત્રાધામ સોમનાથમાં ભગવાન મહાદેવના પ્રથમ જ્યોતિર્લીંગના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. ભગવાન શિવનું મંદિર દરિયા કિનારે આવેલું હોવાના કારણે તે યાત્રિકોના આકર્ષણનું કેન્દ્ર છે. મંદિરના પરિસરમાંથી જ યાત્રિકો દરિયાને નિહાળી શકે છે. સોમનાથ આવતા યાત્રિકો આ દરિયામાં ન્હાવા પણ જતા હોય છે. નાના બાળકોથી લઈને યુવાનો, વડીલો સુધી આ દરિયામાં ન્હાતા હોય છે. ત્યારે સોમનાથના દરિયામાં ગટરનું પાણી છોડી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત થતી હોય તેવું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
લોકોના સ્વાસ્થ્ય સાથે રમત
આ પાણી દરિયામાં ન્હાતા લોકોને નુકસાન પહોંચાડી શકે છે. યુવતી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગટરનું ગંદુ, પ્રદૂષિત પાણી સીધું જ દરિયામાં વહાવી દેવાય છે. જેના માટે સુવ્યવસ્થિત માનવ સર્જિત રસ્તો પણ બનાવેલો છે. આ રસ્તા દ્વારા ગટરનું પાણી સરળતાથી દરિયાના પાણી સાથે ભળી જાય છે.
શું તંત્ર લેશે કોઈ એક્શન?
આ યુવતી દ્વારા યાત્રિકોને દરિયાના પાણીમાં ન ન્હાવાની અપીલ કરવામાં આવી છે. યુવતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે દરિયામાં ખૂબ જ પ્રદૂષિત અને દુર્ગંધયુક્ત પાણી ભેળવવામાં આવી રહ્યું છે. જે દરિયામાં ન્હાતા લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું તંત્ર આ વીડિયોના આધારે આની પર કોઇ એક્શન લે છે કે કેમ?
સળગતા સવાલ
- વહીવટી તંત્રએ પ્રદૂષિત પાણી માટે કોઈ વ્યવસ્થા નથી કરી?
- ગટરનું પાણી દરિયામાં કેમ છોડવામાં આવે છે?
- શા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે કરાઈ રહ્યા છે ચેડા?
- તંત્ર દ્વારા ગટરનું પાણી દરિયામાં જતું અટકાવવા કેમ કોઈ કામગીરી ન કરાઈ?
- સોમનાથનું વહીવટી તંત્ર ક્યારે પોતાની જવાબદારી સમજશે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir