બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Complaint about giving a 2 month old baby girl in Porbedar
Dinesh
Last Updated: 09:32 PM, 12 February 2023
આધુનિક સમયમાં આજે પણ અંધશ્રદ્ધાનું અસ્તિત્વ ઘણી જગ્યાએ જોવા મળે છે. અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે. જેમાં પરિવારજનોના કારણે પોતાના પ્રિયજનોના જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે તો ક્યારે પોતાના દિકરા-દીકરીઓ મોટી બિમારીની લપેટ ઝીલવી પડતી હોય છે. પોરબંદરના બરખલા ગામની એક ઘટના સામે આવી છે કે, જ્યાં બે માસની બાળકી ડામ આપવામાં આવ્યાં છે.
2 માસની બાળકીને ડામ આપ્યા
પોરબંદરના બરખલા ગામમાં રહેતી માતાએ પોતાની 2 માસની બાળકીને સાત દિવસ અગાઉ થયેલા શરદી,કપ માટે ડામ અપાવ્યાં છે. નેશ વિસ્તારમાં રહેતા ઉંટવૈદ દેવરાજ કટારાએ 2 માસની દીકરીને ડામ આપ્યા છે, સમગ્ર મામલો આ રીતે છે કે, થોડા દિવસ અગાઉ દીકરીને શરદી અને સામાન્ય કપ થયા હતા જે બાબતે તેની માતાએ ઘેરેલું ઉપચાર કર્યું છતા પણ દીકરીને તબિયત સારી થતાં તેઓએ ડામ આપવા માટે દેવરાજ કટારા નામના શખ્સ પાસે લઈ ગયા હતાં. જેણે દીકરીને પેટના ભાગ લોખંડના સળિયા વડે ઠામ આપ્યું હતું.
માતા વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ
ડામ આપ્યા પછી બે માસની દીકરીની તબિયત સુધરવાની જગ્યા વધુ ગંભીર થતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી અને તેને પોરબંદર સ્થિત સરકારી ભાવસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં બાળકીની તબિયત નાજુક જણાતા તેને ICU વોર્ડમાં દાખલ કરાઈ હતી. જે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં તે પણ દોડી આવી હતી, જો કે, સમગ્ર બાબતને લઈ પોલીસે આરોપી દેવરાજ કટારાની ધરપકડ કરી છે તેમજ ઉંટવૈદ પાસે લઈ જનાર માતા વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. બાળકીના પિતાએ ઉંટવૈદ અને બાળકીની માતા વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી છે
અંધશ્રદ્ધાને ક્યારે ડામશો?
ઉલ્લેખનીય છે કે,આજે પણ અંધશ્રદ્ધામાં મગ્ન બનેલા અમુક લોકો પોતાનાં બાળકો બીમાર પડે ત્યારે ડોકટર પાસે લઈ જવાને બદલે ભૂવા કે ઊંટવૈદો પાસે લઈ જાય છે. આજે પણ ઘણાં લોકો ડામ આપવાથી તેમનાં માંદા બાળકો સાજાં થઇ જશે એવી અંધશ્રદ્ધામાં રહે છે. પરંતુ આમાં બાળક વધુ પીડાય છે અને છેલ્લી ઘડીએ મા-બાપ બાળકને લઇને દવાખાને જ પહોંચે છે. અને બાળકને ખોવાનો વારો આવે છે કારણ કે સારવાર મોડી મળે છે અને ઉપરથી ધગધગતા ડામ બાળકીને માંદગીમાંથી ઊભી કરવાને બદલે તેણે વધુ તકલીફ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir