બ્રેકિંગ ન્યુઝ
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી
VTV / સ્પોર્ટસ / Cricket / Coa Will Review The World Cup Performance Of India After Coach And Captain Return
vtvAdmin
Last Updated: 09:03 PM, 12 July 2019
ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં મહેન્દ્રસિંહ ધોનીને 7માં નંબરે બેટિંગમાં ઉતારવા મુદ્દે ખુલાસો માંગશે. વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની શરૂઆતમાં જ 3 વિકેટો પડી ગઈ હતી. તેમ છતાં ધોનીને ચોથા ક્રમે બેટિંગમાં ન ઉતારતા 7માં નંબરે બેટિંગમાં ઉતારવામાં આવ્યો હતો. જેને લઈને ક્રિકેટ રસિકો પણ નારાજ થયા હતા અને ધોની સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
આપને જણાવી દઇએ કે, વિરાટ કોહલી અને ટીમ રવિવારે મુંબઈ પરત ફરશે. આપને જણાવી દઇએ કે, ભારતને સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રનોથી હારનો સામનો કરવો પડ્યો, ,જ્યારે ગ્રૂપ સ્ટેજમાં ભારતીય ટીમ પહેલા નંબરે હતી. રાયે કહ્યું કે, ભારતનું અભિયાન હમણા જ પૂર્ણ થયું છે. ક્યાં, ક્યારે અને કેવી રીતે જેવા પ્રશ્નોનો હું તમને કોઈ જ જવાબ નહીં આપી શકું.
અંતિમ સિરીઝ સુધી અંબાતી નાયડુ માનવામાં આવતુ હતુ કે નંબર-4 પર અંબાતિ રાયડૂની જગ્યા નક્કી છે. આવામાં તે રેસમાંથી બહાર કઇ રીતે થઇ ગયો? રાયડૂનું નામ રિઝર્વ ખેલાડીમાં પણ હતું, પરંતુ 2 ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયાં છતાં તેને બોલાવવામાં નહીં આવતા અંતે તેણે ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહ્યું હતું.
ગાવસ્કરે ધોનીની બેટિંગ ઉપર ઉભા કર્યા સવાલ
આઈસીસી વર્લ્ડકપ-2019 સેમીફાઇનલ્સમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલ હાર બાદ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ના બેટિંગ ઓર્ડર અંગેના પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે. ટીમના ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન, લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કર( Sunil Gavaskar) માને છે કે જ્યારે સેમીફાઇનલમાં ભારતે પોતાની પ્રથમ ત્રણ વિકેટ ગુમાવી ત્યારે મહેન્દ્રસિંહ ધોનીને બેટિંગ માટે ઉપર લાવવાની જરૂર હતી.
ઉલ્લેખનીય છે કે, ગાવસ્કર વર્લ્ડ કપમાં પહેલેથી જ ભારતીય ટીમ મેનેજમેન્ટ નીતિઓની ટીકા કરી રહ્યા છે. ગાવસ્કરે હંમેશાં ભારતીય બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કરવાની હિમાયત કરી છે, જે પરિસ્થિતિ સાથે સુસંગત હોવું જોઈએ, પરંતુ 18 રનથી ન્યૂઝીલેન્ડના હાથે મળેલી હારથી તેઓ ગિન્નાયા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ