બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / Chardham Yatra 2023 kedarnath badrinath cardiac arrest 58 people died in 27 days
Arohi
Last Updated: 02:27 PM, 19 May 2023
એપ્રિલના મહિનામાં શરૂ થયેલી ચારધામ યાત્રા આ વર્ષે થોડી મુશ્કેલીઓથી ભરેલી હતી. વારંવાર હવામાન ખરાબ હોવાના કારણે પ્રશાસનની સાથે સાથે શ્રદ્ધાળુઓએ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ત્યાં જ અત્યાર સુધી સરેરાશ દરરોજ 2 શ્રદ્ધાળુઓના મોત થયા છે.
એક રિપોર્ટ અનુસાર આ મોત કાર્ડિયાક અરેસ્ટ અથવા ક્રોનિક પલ્મોનરી ડિઝીઝના કારણે થયા છે. 27 દિવસના સમયમાં લગભગ 10 લાખ શ્રદ્ધાળુઓએ ગઢવાલ હિમાલયમાં 10 હજાર ફૂટથી ઉપર સ્થિત ચાર હિમાલયી મંદિરો- કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં પૂજા કરી છે.
2400 લોકોને સ્વાસ્થ્ય વિભાગની ટીમે આપી ચેતાવણી
સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાયેલા આંકડા અનુસાર લગભગ 2,400 લોકોને તેમના ખરાબ સ્વાસ્થ્ય સ્થિતિના કારણે યાત્રા પર જતા પહેલા અધિકારીઓ દ્વારા ચેતાવણી આપવામાં આવી હતી. તે લોકોને એક કાગળ પર હસ્તાક્ષર કરાવવામાં આવ્યા.
જેના પર લખવામાં આવ્યું હતું કે તીર્થ યાત્રા વખત જો તેમની સાથે કોઈ ઘટના બને છે તો તેમના તે પોતે જવાબદાર રહેશે. ફેંફસાની સમસ્યાથી પીડિત લગભગ 7,000 તીર્થયાત્રીઓને સ્વાસ્થ્ય દેખરેખ ટીમે તેમના સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખતા પોર્ટેબલ ઓક્સીજન સિલિન્ડર આપ્યા છે.
27 દિવસોમાં કુલ 58 લોકોના મોત
જાણકારી અનુસાર 27 દિવસમાં 58 મોત નોંધવામાં આવી છે. તેમાં મોટાભાગના કાર્ડિયાક અરેસ્ટ સાથે સંબંધિત છે અને કેદારનાથમાં આ મોત થઈ છે. આ તીર્થયાત્રીઓની ટ્રેક માર્ગ પર અથવા તો હોટલમાં મૃત્યુ થયું છે.
મૃતકોમાં સૌથી વધારે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતના હતા. કેદારનાથ યાત્રા પરથી પરત ફરેલા ગુજરાતના 44 વર્ષીય તીર્થયાત્રી રજની કુમારીએ કહ્યું, "આટલું દૂર આવવા બાદ, કોઈ પણ મંદિરમાં દર્શન વગર પરત ન જવું જોઈએ માટે માટા પરિવારના ત્ર સદસ્યોએ પોર્ટેબલ સિલિન્ડર સાથે લઈ જવાનું પસંદ કર્યું."
રાજ્ય સરકાર જાહેર કરી ચુકી છે એડવાઈઝરી
રાજ્ય સરકારે યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જાહેર કરી દીધી છે. એડવાઈઝરીમાં તીર્થ યાત્રા પર આવતા લોકો પાસે દરરોજ 5-10 મિનિટ સુધી બ્રીદિંગ એક્સરસાઈઝ કરાવવી જોઈએ. તેની સાથે જ દરરોજ 20-30 મિનિટ ચાલવાની સલાહ આપવામાં આવે છે. તેના ઉપરાંત હૃદય રોગ, અસ્થમા, હાઈ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસથી પીડિત યાત્રી યાત્રા માટે ફિટનેસ સુનિશ્ચિત કરવા માટે હેલ્થ ચેકઅપ કરાવો.
ત્યાં જ આ બીમારીઓથી પીડિત તીર્થયાત્રીઓને પોતાના ઘરેલુ ડોક્ટરનો સંપર્ક નંબર સાથે જ દવાઓ અને તપાસ ઉપકરણને સાથે રાખવા માટે કહેવામાં આવે છે. એડવાઈઝરીમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે જો ડોક્ટર ઈનકાર કરે તો યાત્રા ન કરવી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir