બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Change in exam pattern of class 10-12 in Gujarat, how much benefit to the student? Plus points for the weak
Vishal Khamar
Last Updated: 10:33 PM, 15 October 2023
રાજ્ય સરકારે કેન્દ્રની નવી શિક્ષણનીતિ અંતર્ગત મહત્વનો નિર્ણય લીધો જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા. ફેરફારનો મુખ્ય હેતુ એવા વિદ્યાર્થીઓને આગળ લાવવાનો હતો કે જેમની તેજસ્વિતા માત્ર યાદશક્તિ અને પરીક્ષા આધારીત પરિણામ પાછળ ઢંકાઈ ન જાય. આ માટે સરકારે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો વધાર્યા જ્યારે વર્ણનાત્મક પ્રશ્નો તેની સાપેક્ષે ઘટાડ્યા. પૂરક પરીક્ષાઓમાં પણ ઘણાં ફેરફાર થયા છે જેનાથી સરવાળે વિદ્યાર્થીઓને ફાયદો થાય એવુ લાગી રહ્યું છે. વાત આવીને અટકે છે વર્ણનાત્મક પ્રશ્નોમાં પહેલા જે આંતરિક વિકલ્પ અપાતા હતા તેને બદલે જનરલ વિકલ્પની. એક મત એવો પડે છે કે આંતરિક વિકલ્પને બદલે જનરલ વિકલ્પ આપવાનો સરકારનો પ્રયાસ તેજસ્વી વિદ્યાર્થીઓની તેજસ્વિતા ઓછી કરી નાંખશે કે કેમ.. સરકારની નવી પરીક્ષા પદ્ધતિથી ગુજરાત બોર્ડ ઉપર પરીક્ષાનું ભારણ કેટલું વધશે?, વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો હાઉ દૂર થશે કે વધશે?
નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનો નિર્ણય નબળા વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક બની શકે છે. સરકારનો હેતુ વિદ્યાર્થીઓનું પરિણામ યાદશક્તિ આધારીત ન રહે તેના માટે છે. વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીથી દૂર થાય તે રીતે પદ્ધતિ સેટ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તેવો સરકારનો હેતુ છે. હેતુલક્ષી પ્રશ્નોમાં નબળા અને તેજસ્વી બંને વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. વિદ્યાર્થીઓની કારકિર્દી બોર્ડની પરીક્ષા પછી સ્થગિત ન થાય તેવો પ્રયાસ છે.
પરીક્ષા પદ્ધતિમાં શું ફેરફાર થયા?
હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધાર્યું છે. વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ ઘટાડ્યું. પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓને છૂટછાટ મળી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયની પૂરક પરીક્ષા યોજાશે. વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની તક મળશે.
વિદ્યાર્થીઓ માટે શું બદલાયું?
ધોરણ 10-12 સામાન્ય પ્રવાહ
વર્ણનાત્મક પ્રશ્નો
પૂરક પરીક્ષા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ
શિક્ષણવિદ શું માને છે?
યાદશક્તિ આધારીત પરીક્ષા અને પરિણામમાંથી વિદ્યાર્થી બહાર નિકળી શકશે. હેતુલક્ષી પ્રશ્નોને કારણે ટૂંકમાં વર્ણન કરી શકતા વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. વિદ્યાર્થી લાંબુ વર્ણન ન કરી શકે પણ જવાબ સમજાવી શકશે. 30% હેતુલક્ષી પ્રશ્નોથી ઓછી યાદશક્તિ ધરાવતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. હેતુલક્ષી પ્રશ્નો વિવિધ પ્રકારના હશે જેથી વિદ્યાર્થીઓની કસોટી થશે. વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિકને બદલે જનરલ વિકલ્પ નબળા વિદ્યાર્થીઓને આવકાર્ય છે. માત્ર જનરલ વિકલ્પ આપવાથી તેજસ્વી વિદ્યાર્થીઓ પણ તેને જ પસંદ કરશે. એવું બની શકે કે પ્રકિર્ણ પ્રકારના પ્રશ્નોનું બહુ મહત્વ ન રહે. વધુ વિષયની પૂરક પરીક્ષાઓથી બોર્ડ ઉપર પરીક્ષાનું ભારણ વધશે. ગુજરાત ઓપન સ્કૂલિંગ અંતર્ગત પૂરક પરીક્ષા લેવાય તેવી જોગવાઈ દાખલ થઈ શકે છે. ઓપન સ્કૂલિંગ અંતર્ગત પૂરક પરીક્ષા લેવાય તો બોર્ડ ઉપર પરીક્ષાનું ભારણ ઘટે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir