બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 04:00 PM, 6 November 2023
આચાર્ય ચાણક્ય દુનિયાના મહાન વિદ્વાન, અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ અને કૂટનીતિજ્ઞ હોવાની સાથે સાથે મોટા માર્ગદર્શક પણ હતા. ચાણક્યએ પોતાની નીતિ શાસ્ત્ર ચાણક્ય નીતિમાં ધન, સંપત્તિને લઈને ઘણી મહત્વપૂર્ણ વાતોનો ઉલ્લેખ કર્યો છે.
આચાર્ય ચાણક્યએ જણાવ્યું છે કે ઘણી વખત વ્યક્તિ જાણે અજાણે એવી ભુલો કરી બેસે છે જેનાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઈને ઘરમાંથી જતા રહે છે. તેના કારણે લોકો દિવસેને દિવસે ગરીબીની તરફ ધકેલાય છે.
મહેનત કર્યા બાદ પણ ધન-સંપત્તિનો અભાવ જ રહે છે. તેને ઘરમાં માતા લક્ષ્મીની જગ્યા પર તેમની બહેન અલક્ષ્મીનો વાસ થવા લાગે છે. જે વ્યક્તિને ગરીબ બનાવે છે. આવો જાણીએ કે કોના ઘરોમાં માતા લક્ષ્મી ક્યારેય નથી રહેતા.
આ ઘરોમાં હંમેશા રહે છે ગરીબી
કારણ વગરના ખર્ચ
જે ઘરોમાં લોકો કારણ વગર પૈસા ખર્ચ કરતા રહે છે, દેખાડો કરે છે, તેમના ઘરે ક્યારેય પૈસા નથી ટકતા. એવા ઘરોમાં લોકો કેટલા પણ પૈસા કમાય પરંતુ હંમેશા દેવામાં ડુબેલા રહે છે. મુશ્કેલ સમય માટે બચત ન કરવાના કારણે તેનાથી આગળ નથી આવી શકતા. તેથી વ્યક્તિને હંમેશા યોગ્ય જગ્યા પર જ પૈસા ખર્ચ કરવા જોઈએ.
રસોડાના એંઠા વાસણ
માતા લક્ષ્મી એવા ઘરોમાં ક્યારેય નથી રહેતા જ્યાં ગંદકી હોય અને રાત્રે કિચનમાં એંઠા વાસણ મુકી રાખવામાં આવે છે. રાત્રે રસોડુ સાફ ન કરવાથી માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે. માતા અન્નપૂર્ણા માતા લક્ષ્મીનું જ એક રૂપ છે. આવા ઘરમાં દરિદ્રતાનો વાસ રહે છે. તેમને માન સન્માન નથી મળતું. ધન હાની થાય છે.
સાંજના સમયે કચરો કાઢવો
જે ઘરોમાં સૂર્યાસ્ત બાદ કચરો કાઢવામાં આવે છે તે ઘરોમાં પણ માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશ નથી કરતી. સાંજના સમયમાં માતા લક્ષ્મીના આગમનનો સમય હોય છે. માટે દિવસમાં ઘરની સાફ સફાઈ કરી લેવી જોઈએ. જો કોઈ કારણથી સાંજે કચરો વાળવો પડે તો કચરાને બહાર ન કાઢો. તેને ખૂણામાં મુકી રાખો બીજા દિવસે સવારે તેને ઘરમાંથી બહાર કાઢો.
આળસુ લોકો
જે લોકો આળસુ હોય, વૃદ્ધ, વિદ્વાન, મહિલાઓનું સન્માન ન કરતા હોય તેમનાથી માતા લક્ષ્મી હંમેશા નારાજ રહે છે. જેથી આ લોકો જો અમીર થઈ પણ જાય તો તેમને ગરીબ થવામાં મોડુ નથી થતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir