બ્રેકિંગ ન્યુઝ
પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / caterpillars came out in the anganwadi meal in jargali at gir gadhada
Dhruv
Last Updated: 01:31 PM, 11 June 2022
ગીરસોમનાથના ગીરગઢડા તાલુકાના જરગલી ગામની આંગણવાડીમાં નાના ભૂલકાઓને અપાતા ભોજનમાંથી ઈયળો નીકળતા વાલીઓ રોષે ભરાયા. વાલી દ્રારા બાળકોનું ભોજન ચેક કરવામાં આવતા આ મામલો સામે આવ્યો છે. વાલી દ્રારા સરપંચને જાણ કરવા છતાં પણ કોઇ પણ પ્રકારના આ મામલે પગલાં ન લેવાયાનો વાલીઓ આક્ષેપ કરી રહ્યાં છે. આથી, ગામના જાગૃત નાગરિક દ્રારા બાળકોના ભોજનમાંથી ઇયળ નીકળ્યાનો ફોટો વાયરલ કરવામાં આવ્યો.
બાળકોને સ્વચ્છ ભોજન ખવડાવવામાં આવે તેવી વાલીઓમાં માંગ
જો કે, આંગણવાડીમાં નાના ભૂલકાઓને અપાતા ભોજનમાંથી ઈયળો નીકળતા અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું ભોજન બનાવવા માટેનું અનાજ ઉપરથી જ ખરાબ આવે છે કે પછી સ્થાનિક કેન્દ્રમાં તેની સાફસફાઇ નથી કરાતી? બાળકો બીમાર પડશે અથવા તો તેમને કંઇ થશે તો જવાબદાર કોણ? આવાં ઇયળો વાળા અખાદ્ય ખોરાક ખાવાથી બાળકોના જીવનું જોખમ મંડરાઇ રહ્યું છે. તેમજ આવું ભોજન અનેક પ્રકારના રોગોને આમંત્રણ પણ આપે છે. તેમજ બાળકોને વિટામિનના બદલે માંદગી ઉભી થતી હોય આ બાબતે ઉચ્ચકક્ષાએથી યોગ્ય તપાસ કરી બાળકોને સ્વચ્છ ભોજન ખવડાવવામાં આવે તેવી વાલીઓમાં માંગ ઉઠી છે.
બાળક પોતાના ઘરે લઇ જતા સમગ્ર મામલો સામે આવ્યો
તમને વિગતે જણાવી દઇએ કે, ગીરગઢડાના જરગલી ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 3 માં ખૂબ મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ માટે આવતા હોય છે. અને તમામ બાળકોને સવાર અને બપોર એમ અલગ-અલગ સમયે કેન્દ્ર ખાતે નાસ્તો અને ભોજન કરાવવામાં આવે છે. ત્યારે ગામમાં રહેતા બાળકને ડબ્બામાં દાળ-ઢોકળી પીરસવામાં આવી હતી. જે બાળક પોતાના ઘરે લઇ જતા જ્યારે તેના વાલીએ ડબ્બો ખોલ્યો તો દાળ-ઢોકળીના ભોજનમાં ઇયળ અને ધનેડા દેખાયા.
આ અંગેની જાણ ગામના સરપંચને જાણ કરાતા કેટલાંક જાગૃત યુવાનો અને આગેવાનો સહીત તાત્કાલિક આંગણવાડી ખાતે પહોંચી ગયા. તેમજ આ બાબતે મહિલા સંચાલક સમગ્ર હકીકત જણાવતા ભોજનમાં કોઇ કારણોસર આ ઇયળ પડી હોવાનું કહીને પોતાનો બચાવ કરેલ હોય આ બાબતે તાલુકા બાળવિકાસ સંકલનના ઇન્ચા. સીડીપીઓનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ ફોન રિસિવ કર્યો ન હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ