બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Canada has become a haven for terrorists: What is the status of Indians living there?
Vishal Khamar
Last Updated: 10:48 PM, 21 September 2023
બે દેશ વચ્ચે જ્યારે રાજદ્વારી તણાવ વધે એટલે પહેલો વિચાર હંમેશા એ આવે કે એક દેશમાં વસતા બીજા દેશના નાગરિકોનું શું થશે. ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા થોડા સમયથી તણાવ વધ્યો છે, તણાવના કારણો રાજકીય છે. તણાવના મૂળિયા ઉપર નજર કરીએ તો ભારત તરફથી રાજદ્વારી કે વહીવટી ભૂલ નથી થઈ, ભૂલ મોટેભાગે કેનેડીયન સરકાર તરફથી થતી આવી છે અને હજુ પણ થઈ રહી છે. કેનેડાના સત્તાધીશોનું ખાલિસ્તાની આતંકીઓને છુપુ સમર્થન ભારત માટે ચિંતાનો અને વિરોધનો વિષય હંમેશા રહ્યો છે.
રાજકીય આગને પલિતો ચાંપવાનું કામ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોએ કર્યું. ટ્રુડોએ કેનેડાની સંસદમાં કહ્યું કે કેનેડામાં વસતા શીખ નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે અને આ બહાનું આગળ ધરીને કેનેડાએ ભારતીય રાજદૂતને નિષ્કાષિત કર્યા, વળતા જવાબરૂપે ભારતે પણ કેનેડાના રાજદૂતને નિષ્કાષિત કર્યા અને કેનેડામાં વસતા ભારતીયો તથા ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી કરી. ભારતે કેનેડા પ્રવાસે જવા માંગતા ભારતીયો માટે પણ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી દીધી. કેનેડાના વલણ સામે ભારતનો વિરોધ બહુ સ્વભાવિક છે ત્યારે ભારત એ પણ વિચારી રહ્યું છે કે કેનેડામાં વસતા લાખો ભારતીયો અને વિદ્યાર્થીઓ સલામત રહે. હાલ રાજદ્વારી તણાવ પછી પણ બંને દેશમાં કે બંને દેશ તરફથી બીજા કોઈ છમકલા થયા નથી ત્યારે એ જાણવું અને સમજવું અત્યંત જરૂરી છે કે કેનેડામાં વસતા ભારતીયોની સ્થિતિ શું છે અને આ વિવાદના મૂળ ક્યાં છે.
ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો છે. ભારત અને કેનેડાએ એકબીજાના રાજદૂતોને દેશ નિકાલ કર્યા છે. ભારત તરફથી પણ કેનેડીયનો માટે વીઝા સ્થગિત કરાયા છે. તેમજ ભારત તરફથી ખાસ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. કેનેડામાં વસતા ભારતીયો અને પ્રવાસે જતા ભારતીયો માટે એડવાઈઝરી જારી કરાઈ છે. કેનેડામાં વસતા ભારતીયો અને ભારતમાં વસતા સબંધીઓની ચિંતા વધી છે.
ભારતના વિદેશ મંત્રાલયે શું કહ્યું?
આતંકીઓ માટેનું આશ્રય સ્થાન બન્યું કેનેડા. કેનેડાનું રાજકીય નેતૃત્વ આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી કરશે? અમારા હાઈ કમિશનનાં અધિકારીઓને સુરક્ષાનું જોખમ છે. નિજ્જર કેસમાં કેનેડા સરકારે અમારી સાથે કોઈ માહિતીની આપ-લે કરી નથી. ભારતે કેનેડામાં વસતા ગુનેગારોની યાદી સોંપી છે. પરંતું કોઈ કાર્યવાહી નહી.
કેનેડામાં વસતા ભારતીયોને આશ્વાસન
વિદેશ મંત્રાલયે કેનેડામાં વરસતા ભારકતીયોને બાંહેધરી આપી છે કે, કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓને સાવચેત રહેવા સૂચન કર્યું છે. વિદ્યાર્થીઓને મુશ્કેલી થાય તો ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે.
કેનેડા પણ ભારતીયોને વિઝા નહીં આપે?
વિવાદની શરૂઆત કેમ થઈ?
જસ્ટીન ટ્રુડો G-20 સમિટ માટે ભારત આવી રહ્યા હતા. કેનેડાના ખાલિસ્તાનીઓને સમર્થન અંગે ભારતે પહેલેથી જ ચિંતા વ્યકત કરી હતી. તણાવની શરૂઆત જસ્ટીન ટ્રુડો કેનેડા પરત ફર્યા પછી થઈ. જસ્ટીન ટ્રુડોએ કેનેડાની સંસદમાં ભારત વિરુદ્ધ આરોપ લગાવ્યા. કેનેડાના PMએ શીખ નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનું કહ્યું, કેનેડાની સરકારે ભારતીય રાજદૂતને નિષ્કાસિત કર્યા. જવાબમાં ભારતે પણ કેનેડાના રાજદૂતનો દેશનિકાલ કર્યા.
કેનેડામાં વસતા ભારતીયોએ શું ધ્યાન રાખવું?
હાલ ભારતીયોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી. તેમજ ભારત અને કેનેડા બંને પ્રત્યે તટસ્થ વલણ રાખવું. જસ્ટીન ટ્રુડોનું નિવેદન રાજનીતિથી પ્રેરિત છે. લોકો બહાર ન નિકળી શકે એવો માહોલ હાલ નથી. બિનજરૂરી વિવાદ ટાળવા, કામ ઉપર ધ્યાન આપવું.
કેનેડાની એજ્યુકેશન ઈકોનોમીમાં ભારતનો ફાળો
કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓનો ઈકોનોમીમાં મહત્વનો ફાળો છે. કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થી વર્ષે 960 મિલિયન ડોલર ફી ચુકવે છે. ભારતીય ચલણમાં આ રકમ વાર્ષિક 6000 કરોડ થાય છે.
હાલની સ્થિતિએ કેનેડા જઈ શકાય?
કેનેડામાં વસતા અનેક ભારતીયોએ આ અંગે પોતાના મત આપ્યા છે. સરેરાશ મત એવો છે કે હાલ અહીં ન આવવામાં શાણપણ છે.
કેનેડામાં કેટલા ભારતીયો?
કેનેડામાં લગભગ 1 લાખ 78 હજારથી વધુ NRI ભારતીયો છે. કેનેડામાં ભારતીય મૂળના નાગરિકની સંખ્યા 15 લાખથી વધુ છે. તેમજ 2022ના ડેટા પ્રમાણે કેનેડામાં 1 લાખ 83 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir