બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / canada hardeep nijjar killing case justin trudeau keep indian diplomats phone on surveillance
Arohi
Last Updated: 11:51 AM, 22 September 2023
કેનેડા અને ભારતના સંબંધમાં તણાવ ચરમ પર પહોંચી ગયો છે. પહેલા બન્ને દેશોના ડિપ્લોમેટ્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને હવે નવી દિલ્હીના કેનેડાઈ નાગરીકો માટે વીઝા સેવાઓને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
વિવાદની શરૂઆત કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોની તરફથી થઈ. જ્યાં તેમણે ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો. હજુ પણ કેનેડાના પીએમ પોતાની વાતનું પુનરાવર્તન કરી રહ્યા છે. જોકે ભારત પહેલાથી જ આ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવી રહ્યું છે.
કેનેડાએ લગાવ્યા હતા ગંભીર આરોપ
જોકે કેનાડાનું એવું માનવું છે કે ભારતીય એજન્ટ ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હતા. તેમનો દાવો ભારતીય અધિકારીઓની વાતચીતના કોલ રેકોર્ડ પર આધારિત હોઈ શકે છે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેનેડામાં હાજર ભારતીય રાજનૈતિક સહિત ભારતીય અધિકારીઓને સર્વિલૅન્સ પર રાખ્યા હતા. તે સમયે તેમણે કોલ પર કોની સાથે શું વાત કરી તેને સાંભળવામાં આવ્યું. કેનેડાની સરકારે એક મહિનાની તપાસ વખતે ખાનગી જાણકારી ભેગી કરી હતી.
ખુફિયા સલાહકારે કરી હતી બે વખત ભારત યાત્રા
રિપોર્ટ અનુસાર અમુક ખુફિયા જાણકારી 'ફાઈવ આઈઝ' ગઠબંધનમાં બીજા દેશોને શેર કરવામાં આવી હતી. આ સમૂહમાં કેનેડા ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા શામેલ છે.
રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા અને ખુફિયા સલાહકાર જોડી થોમસે ઓગસ્ટમાં ચાર દિવસ અને સપ્ટેમ્બરમાં પાંચ દિવસ માટે ભારતની યાત્રા કરી, ત્યારે બીજી યાત્રા જી20 નેતાઓના શિખર સન્મેલન દ્વારા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોની નવી દિલ્હી યાત્રાની સાથે થઈ.
ટ્રૂડોએ ફરી લગાવ્યા આરોપ
મહત્વનું છે કે ન્યૂયોર્કમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ટ્રૂડોએ સોમવારે હાઉસ ઓફ કોમન્સમાં કરવામાં આવેલા પોતાના દાવાને રીપિટ કર્યો. આ દાવામાં ભારત સરકારના એજન્ટો અને 18 જૂને નિજ્જરની હત્યાની વચ્ચે લિંક હોવાની વાત કહેવામાં આવી હતી.
તેમણે કહ્યું કે "હું તમને વિશ્વાસ અપાવી શકું છું કે આ આરોપોને હાઉસ ઓફ કોમન્સના પટલ પર શેર કરવાનો નિર્ણય સામાન્ય રીતે નથી કરવામાં આવ્યો. આ નિર્ણય ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir