બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Can danger increase on Joshimath? The Meteorological Department has issued an alert
Priyakant
Last Updated: 10:33 AM, 18 January 2023
હાલમાં જ્યાં જુઓ ત્યાં જોશીમઠની જ ચર્ચા ચાલી રહી છે. ઉત્તરાખંડના જોશીમઠમાં સ્થિતિ અત્યંત નાજુક છે. મકાનો, ઈમારતો અને હોટલોમાં તિરાડો પડવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. જમીન ધસી જવાને કારણે અત્યાર સુધીમાં 849 મકાનો પ્રભાવિત થયા છે. આ તરફ હવે જોશીમઠની સામે હવામાન પણ એક મોટો પડકાર લઈને આવી રહ્યું છે. જોશીમઠમાં આગામી ચારથી પાંચ દિવસ હિમવર્ષા થવાની આગાહી છે. આવી સ્થિતિમાં જોશીમઠના રહેવાસીઓ માટે ખતરો વધુ વધી શકે છે.
હવામાનની આગાહીથી ચિંતા વધી
જોશીમઠમાં 4 દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ સુધી હિમવર્ષા સાથે હળવો વરસાદ પડી શકે છે. ભૂતકાળમાં પણ જ્યારે વરસાદ પડ્યો ત્યારે જોશીમઠના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે ઘણા લોકો છત વિના રહેવા માટે મજબૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 જાન્યુઆરી પછી હિમવર્ષા વધી શકે છે.
જોશીમઠમાં આવી શકે છે તબાહી
જો જોશીમઠમાં સતત 4-5 દિવસ હિમવર્ષા થાય છે તો જે મકાનો અને ઇમારતો ભાર સહન કરવાની ક્ષમતા ધરાવતા નથી તે ધરાશાયી થવાની સંભાવના વધારે છે. આવી સ્થિતિમાં જોશીમઠમાં ભારે તબાહી સર્જાઈ શકે છે. હિમવર્ષા અને વરસાદને કારણે ઘરોમાં તિરાડો વધુ ઊંડી બની શકે છે અને જમીન ધસી પડવાનું જોખમ પણ વધી જશે.
Ready for special missions as well as for helping in Joshimath: Indian Army troops in Uttarakhand
— ANI Digital (@ani_digital) January 17, 2023
Read @ANI Story | https://t.co/CM8e54Umas#Joshimathcrisis #IndianArmy #Joshimath #Uttarakhand #JoshimathEmergency pic.twitter.com/jmqeIENDIu
વહીવટીતંત્ર કવાયતમાં
આ તરફ પ્રશાસને તમામ ઘરોમાં ક્રેક મીટર લગાવ્યા છે અને તમામ ઘરો પર નજર રાખવામાં આવી રહી છે. લોકોને અસુરક્ષિત ઘરોમાંથી સતત ખસેડવામાં આવી રહ્યા છે. ઘણી દુકાનો ખાલી કરવા પણ કહેવામાં આવ્યું છે. વહીવટીતંત્ર આ તમામ લોકોને પ્રિ-ફેબ્રિકેટેડ મકાનોમાં શિફ્ટ કરી રહ્યું છે. વહીવટીતંત્ર વધુને વધુ પ્રિ-ફેબ્રિકેટેડ મકાનો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે હવે હોટલોમાં પણ તિરાડો જોવા મળી રહી છે. આ સાથે પ્રશાસને સલામત ઈમારતોને પણ ચિહ્નિત કરી છે, જ્યાં લોકોને સતત ખસેડવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધીમાં કેટલા મકાનોમાં પડી તિરાડ ?
મંગળવારે ચમોલી જિલ્લા વહીવટીતંત્રે એક બુલેટિન જાહેર કરીને જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત ઇમારતોની સંખ્યા 288 થી વધીને 849 થઈ ગઈ છે. બુલેટિન મુજબ રવિગ્રામ વોર્ડમાં મોટાભાગના (161) મકાનોમાં તિરાડો પડી ગઈ છે. આ પછી ગાંધીનગરનો નંબર આવે છે (154 મકાનો), જ્યાંથી સૌથી વધુ રહેવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir