બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 08:24 PM, 3 January 2023
હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે. ભગવાન વિષ્ણુથી લઈને હનુમાનજી સુધી તુલસીના પાન ચઢાવવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે.
પરંતુ કેટલાક દેવતાઓ એવા પણ છે જેમને તુલસીના પાન ચઢાવવાની શાસ્ત્રોમાં મનાઈ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે તેમને તુલસીના પાન અર્પણ કરવાથી તેઓ ગુસ્સે થઈ જાય છે અને વ્યક્તિનું જીવન મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે.
તુલસીના પાન વગર અધુરી છે વિષ્ણુની પૂજા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા તુલસીના પાન વિના અધૂરી માનવામાં આવે છે. બીજી તરફ કેટલાક દેવતાઓને તુલસી અર્પણ કરવાથી તેઓ ગુસ્સે થઈ જાય છે. આવો જાણીએ કયા દેવતાઓને તુલસી ન ચઢાવવી જોઈએ.
આ દેવતાઓને ભૂલથી પણ ન અર્પણ કરો તુલસી
ધાર્મિક શાસ્ત્રોમાં દરેક દેવી-દેવતાની કેટલીક પ્રિય વસ્તુઓ જણાવવામાં આવી છે. દેવી-દેવતાઓને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવાથી જલ્દી જ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને તેના તમામ દુઃખ દૂર થાય છે.
શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી હરિને તુલસીના પાન ખૂબ જ પ્રિય છે. પરંતુ ભગવાન શિવ અને ગણેશને ભૂલીથી પણ તુલસીના પાન ન ચઢાવો.
આ માટે નથી અર્પિત થતી તુલસી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક વખત ગણેશજી ગંગા નદીના કિનારે તપસ્યા કરી રહ્યા હતા અને ધર્માત્મજની પુત્રી તુલસી વિવાહની ઈચ્છા સાથે યાત્રા પર ગયા હતા. તે ગણેશજીને જોઈને મોહિત થઈ ગયા અને તેમની તપસ્યા તોડી નાખી.
આ પછી ગણેશજીની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. હું બ્રહ્મચારી છું એમ કહીને ગણેશજીએ તુલસીના પ્રસ્તાવને નકારી દીધો. આનાથી ગુસ્સે થઈને તુલસીએ ગણેશજીને બે લગ્નનો શ્રાપ આપ્યો.
એટલું જ નહીં એવું પણ કહ્યુ કે ગણેશના લગ્ન એક અસુર સાથે થશે. તુલસીની આ વાત સાંભળીને ગણેશજી પરેશાન થઈ ગયા અને તુલસીની માફી માંગવા લાગ્યા. આવી સ્થિતિમાં ગણેશજીએ તુલસીને કહ્યું કે તમે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને પ્રિય માનવામાં આવશો, પરંતુ ગણેશજીની પૂજામાં તુલસીનો પ્રસાદ ચઢાવવો અશુભ માનવામાં આવશે. આ કારણથી ગણેશજીને તુલસી ચઢાવવામાં આવતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir