બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Brake on speed, if not now then never! Can the property of the person who killed 9 people not be confiscated?
Vishal Khamar
Last Updated: 10:27 PM, 21 July 2023
9 જિંદગી હણનાર તથ્ય પટેલના ચહેરા પર કોઈ અફસોસ ન હોવો, તેના પિતાને પણ જાણે કે દિકરાના કૃત્ય ઉપર કોઈ પસ્તાવો ન હોવો એ સભ્ય સમાજ માટે તો શરમજનક છે પરંતુ હવે આ ઘટનામાં સિક્કાની વધુ એક બાજુની વાત કરવી છે. 9 જિંદગી બેફામ સ્પીડે આવતી કારની નીચે કચડાઈને જોતજોતામાં હતી નહતી થઈ ગઈ. સરકારે સહાયનો મલમ તો લગાડ્યો છે પણ શું આ સહાયથી એ પરિવારના વ્હાલસોયા પાછા ફરશે?. જેણે 9 જિંદગી હણી નાંખી તેની સંપતિ કેમ જપ્ત ન થાય, 9 જિંદગી હણનારને એવું ભાન કેમ ન કરાવાય કે એક જિંદગીની કિંમત શું છે, અને આના માટે સંપતિ જપ્ત કરવા સિવાય બીજો કયો ઉકેલ હોય શકે?. હવે તો મીડિયા સામે માત્ર મૃતકોના પરિવારજનો જ નહીં પરંતુ સામાન્ય જનતા પણ કહી રહી છે કે આવા નબીરાઓ જો અકસ્માત કરીને નિર્ભિક રીતે ફરતા રહે તો પછી મૃતકોને સહાય માટે સરકારી તિજોરી ખાલી કરવાની જરૂર જ નથી કારણ કે દર વખતે જીવલેણ રફ્તારથી કોઈ વાહન આવશે, નિર્દોષને કચડીને જતું રહેશે, પછી સરકાર મારા-તમારા ટેક્સના રૂપિયામાંથી સહાય આપશે અને સરવાળે દરેક નબીરો એમ જ વિચારશે કે આમા મારે શું?.
પરંતુ હવે એ વિચારવાનો અને નક્કર નિર્ણય લેવાનો સમય આવ્યો છે કે આવા ગુનાહિત ઈતિહાસ ધરાવતા નબીરાઓને કાયદાનું ભાન થાય, તેમને એ ભાન થાય કે જાહેર રસ્તો કે હાઈ-વે તેમની માલિકીના નથી, એ નબીરાઓને એવો ખ્યાલ હોવો જોઈએ કે જેમ તમારી રાહ તમારા વાલી જુએ છે તેવી જ રીતે તમે જેને કચડી નાંખ્યા એ વ્હાલસોયાની રાહ પણ કોઈ જોઈ રહ્યું હશે. એ પરિવારજન ઉપર શું વીતી હશે જયારે કોઈનો ફોન આવ્યો હશે કે તમારુ સંતાન અકસ્માતમાં મૃત્યુ પામ્યું છે. જુવાન દિકરાની તસ્વીર ઉપર હાર ચડાવતા એક પિતાના હાથ કેટલા ધ્રુજ્યા હશે તે કદાચ આવી જિંદગીઓ હણનારને ખબર નહીં હોય, પણ હવે એવી ખબર પડે તે માટે નક્કર નિર્ણય લેવાનો સમય પાકી ગયો છે. હવે એ હિંમત બતાવવાની છે કે રસ્તાને પોતાની જાગીર સમજતા અને અન્યની જિંદગીને મામલી સમજતા લાખોપતિ, કરોડપતિ નબીરાની સંપતિ જ જપ્ત થઈ જાય.
9 જિંદગીને કચડી નાંખનાર તથ્ય પટેલ સામે લોકો આક્રોશ છે. તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે પણ આક્રોશ છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત કરી. મૃતકોના પરિવારજનો કહે છે કે અમારે સહાય જોઈતી નથી. પરિવારજનોનો એક જ સવાલ સહાયથી અમારા વ્હાલસોયા પરત આવશે?. પરિવારજનો કહે છે કે અમે સામે રૂપિયા આપીએ પણ અમારા સંતાન હેમખેમ પાછા આપો. લોકોની એવી પણ માંગ છે કે ગુનેગાર અને તેના પરિવારની સંપતિ જપ્ત થાય. એવી માંગ પણ ઉઠી રહી છે કે મૃતકોના પરિવારને ગુનેગાર તરફથી વળતર મળે. જેણે ગુનો કર્યો છે તે જ મૃતકોના પરિવારને વળતર ચુકવે. એક મત એવો છે કે સરકાર જ સહાય કરતી રહેશે તો ગુનેગાર છટકી જ જશે. જિંદગી કચડાતી રહેશે અને ગુનેગારની જાણે કે કોઈ જવાબદારી જ નહીં રહે. નબીરાઓ પણ છાકટા બનીને બેફામ રીતે વર્તન કરતા રહેશે. એવો સ્પષ્ટ મત છે કે જે કોઈ આવા જવાબદાર હોય તેની પાસેથી જ વળતર વસૂલાય.
9 જિંદગી હણનારની સંપતિ જપ્ત કેમ નહીં?
આરોપી તથ્ય પટેલ બેકાબૂ સ્પીડે જેગુઆર કાર ચલાવી રહ્યો હતો. બેકાબૂ સ્પીડથી આવતી કારની નીચે 9 જિંદગી કચડાઈ. આવા હીન કૃત્ય પછી પણ આરોપી કે તેના પિતાના ચહેરા પર કોઈ અફસોસ નથી. પોલીસ સ્ટેશનમાં પણ તથ્યનો પિતા મહેમાનગતિ માણતો જોવા મળ્યો. 9 જિંદગી હણનાર તથ્ય પોલીસની હાજરીમાં પણ હિરોપંતી કરતો હતો. ફિલ્મી સ્ટાઈલમાં તથ્ય પોતાના વાળ ઉડાવતો જોવા મળ્યો. તથ્યના વકીલે પણ જાણે કંઈ બન્યું જ નથી તેવા નિવેદન આપ્યા. તથ્યના વકીલે તો અકસ્માત જોવા ઉભેલા લોકોનો જ વાંક કાઢ્યો. તથ્યને હોસ્પિટલમાંથી વહેલું ડિસ્ચાર્જ ન મળે તે માટે પણ તરકટ કરાયા. ગંભીર ઈજા નહતી છતા વિવિધ ટેસ્ટના નામે વિલંબ કરાવ્યો. તથ્યના પિતા પણ પોલીસની હાજરીમાં અકસ્માત સ્થળેથી તથ્યને લઈ ગયા. 9 જિંદગી કચડાઈને નિષ્પ્રાણ પડી હતી પણ બાપ-બેટાના પેટનું પાણી ન હલ્યું.
નબીરાઓમાં ડર પેસવો જ જોઈએ
રાજ્યમાં નબીરાઓ બેફામ રીતે વર્તતા હોય તે વાત નવી નથી. બેફામ સ્પીડમાં આવતા તથ્ય પટેલે 9 લોકોને કચડી નાંખ્યા. આવા ગંભીર અકસ્માત કર્યા પછી પસ્તાવાના નામે મીંડુ. દિવાળીની રાત્રે અમદાવાદના સિંધુભવન રોડ ઉપર નબીરાઓએ આતંક મચાવ્યો હતો. રોડને રોકીને નબીરાઓએ બેફામ ફટાકડા ફોડ્યા હતા. પોલીસે બાદમાં 9 નબીરાઓને પકડીને તેમને પાઠ ભણાવ્યો હતો. નબીરાઓ એટલું પણ ન સમજ્યા કે જાહેર રસ્તા ઉપર ફટાકડા ફોડવામાં જોખમ છે. સાબરમતી રિવરફ્રંટ ઉપર ટપોરીઓએ મહિલાઓને અભદ્ર ઈશારા કર્યા હતા
જો કે એ મહિલાઓ પોલીસની શી ટીમ હતી. હિરોગીરી કરનાર રોમિયોને શી ટીમે પાઠ ભણાવ્યો હતો.
બેફામ રફ્તારે છીનવી જિંદગી
ફેબ્રુઆરી 2013
માર્ચ 2021
જૂન 2021
જીવલેણ રફ્તાર, હવે તો બ્રેક મારો!
મહાનગરના મૃત્યુઆંક
શહેર | અમદાવાદ |
વર્ષ | 2019 |
મૃત્યુ | 1836 |
શહેર | અમદાવાદ |
વર્ષ | 2020 |
મૃત્યુ | 1768 |
શહેર | અમદાવાદ |
વર્ષ | 2021 |
મૃત્યુ | 1891 |
શહેર | સુરત |
વર્ષ | 2019 |
મૃત્યુ | 2353 |
શહેર | સુરત |
વર્ષ | 2020 |
મૃત્યુ | 2119 |
શહેર | સુરત |
વર્ષ | 2021 |
મૃત્યુ | 2288 |
શહેર | રાજકોટ |
વર્ષ | 2019 |
મૃત્યુ | 1380 |
શહેર | રાજકોટ |
વર્ષ | 2020 |
મૃત્યુ | 1262 |
શહેર | રાજકોટ |
વર્ષ | 2021 |
મૃત્યુ | 1292 |
શહેર | વડોદરા |
વર્ષ | 2019 |
મૃત્યુ | 794 |
શહેર | વડોદરા |
વર્ષ | 2020 |
મૃત્યુ | 597 |
શહેર | વડોદરા |
વર્ષ | 2021 |
મૃત્યુ | 707 |
રફ્તાર પર બ્રેક, હવે નહીં તો ક્યારેય નહીં
રાજ્યના નેશનલ હાઈ-વે ઉપર થયેલા અકસ્માત
વર્ષ | 2019 |
ઓવર સ્પીડીંગથી મૃત્યુ | 1824 |
વર્ષ | 2020 |
ઓવર સ્પીડીંગથી મૃત્યુ | 1718 |
વર્ષ | 2021 |
ઓવર સ્પીડીંગથી મૃત્યુ | 1971 |
વર્ષ | 2022 |
ઓવર સ્પીડીંગથી મૃત્યુ | 1991 |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir