બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અમદાવાદ / Botad Chemikand: gramya court rejected the anticipatory bail of the directors of AMOS company
Vishnu
Last Updated: 07:17 PM, 26 August 2022
બોટાદના બરવાળા કેમિકલ કાંડમાં અનેક જીંદગીઓનો ભોગ લેવાઇ ગયો ત્યારે આ મામલો કેમિકલ સપ્લાઇ કરનાર AMOS કંપનીના માલિકને સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા સમન્સ પણ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે AMOS કંપનીના માલિક સહિત અન્ય 4 લોકોએ આગોતરા જામીન માટે અરજી કરી હતી જેના પર બોટાદ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી જોકે આ મામલે ગ્રામ્ય કોર્ટે એમોસ કંપનીના ડાયરેક્ટરોની આગોતરા જામીનની અરજી ફગાવી છે.
હાઇકોર્ટે AMOS કંપનીના ડાયરેક્ટર ચંદુ પટેલ અને પંકજ પટેલને આપી રાહત
પણ વધુ મળતી વિગત પ્રમાણે બોટાદ કેમિકલકાંડમાં AMOS કંપનીના 2 ડાયરેક્ટરોને રાહત આપવામાં આવી છે. ચંદુ પટેલ અને પંકજ પટેલની ધરપકડ પર કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. બંન્ને ડાયરેક્ટરોએ આગોતરા જામીન માટે કરી અરજી કરી હતી. હાઇકોર્ટે વધુ ઉંમરને કારણે ધરપકડ પર રોક લગાવી છે.
સરકારી વકીલે અગાઉની સુનાવણીમાં શું કહ્યું હતું?
મહત્વનું છે કે લુક આઉટ નોટિસ બાદ ડિરેક્ટર સમીર પટેલે આગોતરા જામીનની અરજી કરી હતી, જેમાં અરજીમાં પોતે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાની દલીલ કરતા કરી હતી જેણે કોર્ટે નકારી દીધી હતી. આ મામલે સરકારી વકીલે નિવેદન આપતા કહ્યું કે આરોપીઓને વારંવાર બોલાવાયા છતાં હાજર રહ્યાં નથી, માનવવધના ગુનાહિત કૃત્ય સહિતના ગુનામાં તપાસ ચાલુ છે. મૃતકો-અસરગ્રસ્તો માટે એમોસ કંપની-ડાયરેક્ટરો સીધા જવાબદાર છે. કંપની દ્વારા મિથેનોલ આલ્કોહોલનું વેચાણ કરાતું હોવાનું કોર્ટે નોંધ્યુ છે.
અમદાવાદ સ્થિત AMOS કંપનીનું લાયસન્સ રદ
બરવાળા લઠ્ઠાકાંડ મામલે નશાબંધી અને આબકારી વિભાગે કાર્યવાહી કરી હતી. નશાબંધી અને આબકારી વિભાગે અમદાવાદ સ્થિત AMOS કંપનીનું મિથેનોલ કેમિકલ રાખવાનું લાયસન્સ રદ કર્યું હતું, ઉલ્લેખનીય છે કે, લઠ્ઠાકાંડમાં ઉપયોગમાં લેવાયેલું મિથેનોલ કેમિકલ AMOS કંપનીમાંથી ચોરી કરીને લાવવામાં આવ્યું હતું. ઉપરાંત AMOS કંપનીએ ફિનાર કંપનીમાંથી આ કેમિકલ લીધું હતું. લઠ્ઠાકાંડ થયા બાદ AMOS કંપનીમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પણ કંપનીમાંથી કેમિકલ મળી આવ્યું હતું.
સમીર પટેલે રાજકીય વગનો ઉપયોગ કરી લાયસન્સ રિન્યુ જ નથી કર્યું
કારણ કે, તમને જણાવી દઇએ કે, AMOS કંપનીના માલિક સમીર પટેલ રાજકીય વગ ધરાવે છે. જેઓના રાજ્યના એક પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સાથે પણ સારા એવા સબંધ છે. સમીર પટેલ કે જે બેટ દ્રારકા મંદીર ટ્રસ્ટમાં ઉપપ્રમુખ છે. સમીર પટેલે રાજકીય વગનો ઉપયોગ કરીને લાયસન્સ રિન્યુ નથી કર્યું. નોંધનીય છે કે, અમદાવાદના પિપળજમાં ગેરકાયદેસર કેમિકલનો ધંધો ચાલે છે. આ કેમિકલ કંપનીઓ સરકારી નિયમોને ઘોળીને પી રહી છે.
આરોપી જયેશ AMOS કંપનીમાંથી કેમિકલ ચોરી બુટલેગરોને આપતો
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી AMOS કંપનીમાં મેનેજરની નોકરી કરતાં જયેશે ગોડાઉનમાંથી કેમિકલની ચોરી કરી બુટલેગરોને આપી હતી. જે બાદમાં તેમાં પાણીનું મિશ્રણ કરી બુટલેગરો દેશી દારૂ તરીકે વેચાણ કરતાં હતા. જેથી હવે આ લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ હોવાનો ખુલાસો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir