બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / Black Pepper mari powder is very beneficial for health and skin
Vaidehi
Last Updated: 07:50 PM, 10 April 2023
આપણા ભારતીય મસાલાઓમાં મરી એક ખૂબ જરૂરી મસાલો ગણાય છે. તેનો પ્રયોગ શાકભાજીમાં સ્વાદને વધારવા માટે કરવામાં આવે છે. મરી સ્વાદ વધારવાની સાથે ઘણી બીમારીઓનો રામબાણ ઇલાજ પણ છે. તો તમે પણ જાણો મરીના ફાયદા અને અલગ અલગ તકલીફોમાં તેનું સેવન કરો.
ડાયાબિટિસની સમસ્યા માટે પણ બેસ્ટ
શરદી ખાંસી દૂર કરનાર મરી ડાયાબિટિસ માટે પણ બેસ્ટ છે. તેનું સેવન ડાયાબિટિસ અને બ્લડ શુગરની સમસ્યાને ખતમ કરે છે. સંશોધન મુજબ મરીમાં એવાં એજન્ટ હોય છે જે ડાયાબિટિસના ઇલાજમાં મદદ કરે છે. હૂંફાળાં પાણીમાં મરીનો ભૂકો નાખીને પી શકો છો. તમે ઇચ્છો તો સવારે ખાલી પેટે ગરમ પાણીમાં હળદર અને મરી નાખીને પી શકો છો. સલાડમાં ચપટી ભરીને મરી પાઉડર નાખો, સૂપમાં પણ મરી પાઉડર નાખીને તેનું સેવન કરી શકો છો.
ગ્રીન ટી સાથે લેવાના પણ છે ભરપૂર ફાયદા
તમે મરીનું સેવન ગ્રીન ટી સાથે પણ કરી શકો છો. જો તમે પાતળા થવા માટે ગ્રીન ટી પી રહ્યા હો તો કાળાં મરી તેમાં ભરપુર લાભ આપશે. ગ્રીન ટીને મરી સાથે ખાવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરશે. આ માટે એક ચપટી મરીનો પાઉડર લો અને તેને ગ્રીન ટીમાં મિક્સ કરીને દિવસમાં બેથી ત્રણ વાર પીઓ.
કબજિયાતની સમસ્યામાંથી મળશે છુટકારો
મરી આપણી પાચનશક્તિ માટે ખૂબ જ લાભદાયી છે. તેનાથી કબજિયાત સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે. ભોજનમાં મરીનો ભૂકો નાખી દો અને પછી જુઓ તેના બેમિસાલ ફાયદા.
ત્વચા માટે પણ લાભદાયી,કરચલીઓ ઘટશે
મરી આપણાં શરીરને અનેક લાભ આપે છે તેનાથી સ્કિનની સમસ્યા પણ દૂર થાય છે. તે તમારી સ્કિન માટે લાભદાયી છે. તેનાથી પિગમેન્ટેશન દૂર થાય છે. ૪૦ પ્લસ મહિલાઓને સ્કિન સંબંધિત સમસ્યા થતી હોય તો તે ચપટી ભરીને કાળાં મરીનો પાઉડર ખાઇ શકે છે તેનાથી અનેક લાભ થશે.
પેટ સાફ રહેશે, પાચનતંત્ર સુધરશે
જો તમને પેટ સંબંધિત પરેશાની રહેતી હોય અને પેટ યોગ્ય રીતે સાફ ન થઇ શકતું હોય તો મરીથી યોગ્ય ઇલાજ કોઇ નથી. મરી તમારું પેટ એકદમ સાફ કરી દે છે. તેનાં સેવનથી પાચતંત્ર પણ સુધરે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir