બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ગુજરાત / BJP leader Dilip Sanghani's statement regarding Congress's refusal to go to Pran Pratishtha Mohotsav
Dinesh
Last Updated: 11:08 PM, 12 January 2024
Dilip Sanghani statement: અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રાજકારણ ગરમાયું છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીને આમંત્રણ અપાયું હતું. જો કે કોંગ્રેસ હાઇકમાન્ડે આ આમંત્રણ ઠુકરાવી દેતાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓના એકબીજા પર રાજકીય શાબ્દિક પ્રહારો ચાલી રહ્યાં છે. કોંગ્રેસના નિર્ણયને લઈને ભાજપ નેતા દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસને રામ મંદિરમાં પણ પોલિટિકસ દેખાય છે તેવું તેમણે કહ્યું હતું.
"કોંગ્રેસ માટે આ નિર્ણય ઘાતક સાબિત થશે"
ભાજપ નેતા દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, કોંગ્રેસ માટે આ નિર્ણય ઘાતક સાબિત થશે તેમજ સ્થાનિક કાર્યકર્તાઓની આસ્થા સામે કોંગ્રેસની હવે અવદશા બેઠી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની આ પરંપરા ચાલી આવે છે, કે, મંદિરના નિર્માણમાં ન આવવું તે. અગાઉ પણ નહેરૂ પણ સોમનાથ મંદિરમાં નહોતા આવ્યા. જેવા કારણોથી કોંગ્રેસની દૂરદશા થઈ છે, જે આપણે જોઈ રહ્યાં છીએ. વધુમાં કહ્યું કે, તેઓ ઈટાલીથી આવેલા છે એટલે ઈસાઈ ધર્મ પાળતા હોય એટલે કદાચ ન આવી શકે તે સમજી પરંતુ કોંગ્રેસ નહી આવે તે નિર્ણય કર્યો છે, તેનાથી કોંગ્રેસના દેશભરના અન્ય કેટલા કાર્યકરો શ્રદ્ધાને ઠેસ પહોંચી. આ નિર્ણય કોંગ્રેસનો નથી પરંતુ વ્યક્તિગત નિર્ણય છે.
વાંચવા જેવું: 'તમે છોટી કાશીમાં રહો છો, પરંતુ સંસ્કાર તમારામાં નથી', નામ લીધા વિના નણંદ નયનાબાએ રિવાબાની ઝાટકણી કાઢી નાખી
શક્તિસિંહ ગોહિલે શું કહ્યું હતુ
શક્તિસિંહએ જણાવ્યું હતું કે, હું હિન્દુ છું, શાસ્ત્રોમાં પણ છે તેમજ હિન્દુ ધર્મમાં સર્વોત્રમ નિર્ણય શંકરાચાર્ય મહારાજનો હોય છે. તેમનો નિર્ણય જે પણ હોય તે ફાઈનલ જ હોય છે. મંદિરનો કામ સંપૂર્ણ થયા પહેલા પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય તેમજ રામનવમી ભગવાન માટે ઉત્તમ દિવસ છે. પરંતુ આવું નહી. વધુમાં કહ્યું કે, આ રામ મંદિરનો કે ભગવાન રામનો પ્રશ્ન નથી, પરંતુ જેમાં ભાજપની ઈવેન્ટ થાય. તેનો પ્રશ્ન છે. તેમણે ઉમેર્યું કે, શંકારાચાર્ય મહારાજ ના પાડતા હોય તો કોઈ હિન્દુ આ વાત ઠાલવી શકે નહીં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ