બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Megha
Last Updated: 02:41 PM, 16 January 2024
અત્યારે એવો સમય છે કે દરેક નાની વાતો માટે લોકો એકબીજા સાથે બોલાચાલી કરવા લાગે છે અને આ બોલાચાલી મોટાભાગે ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો બિહારમાંથી સામે આવ્યો છે.
#Bihar: Mujahid, Vakil, Arman, Mansuri, and Ajit Sharma from #Jharkhand had a dispute with locals, near Tetaria Mod, #Aurangabad, a local died due to a sudden firing. The furious #mob trying to lynch, 3 youths died, 4th being injured, while 5th Ajit Sharma is safe. pic.twitter.com/0uHM3GeH6o
— Mohammad Sartaj Alam (@SartajAlamIndia) January 15, 2024
બિહારના ઔરંગાબાદ જિલ્લામાં કાર પાર્કિંગને લઈને બે પક્ષો વચ્ચેના વિવાદમાં ચાર લોકોના મોત થયા હતા, જેમાંથી ત્રણ ઝારખંડના રહેવાસી હતા. ઔરંગાબાદના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના નબીનગર વિસ્તારમાં બની હતી જ્યાં એક દુકાનદારે તેની દુકાનની સામે કાર પાર્ક કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
કારમાં ચાર લોકો બેઠા હતા. એ સમયે દુકાનદાર અને કારચાલક વચ્ચે બોલાચાલી એટલી વધી ગઈ કે કાર સવારે પિસ્તોલ કાઢીને દુકાનદાર પર ગોળીબાર કર્યો હતો. જો કે ગોળી દુકાનદારને વાગી ન હતી, પરંતુ તેની પાસે ઉભેલા એક વ્યક્તિને લાગી હતી. ગોળી લાગવાથી એ વ્યક્તિનું મોત થયું હતું જે બાદ બાદ સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને કાર સવારોને પકડીને માર મારવાનું શરૂ કર્યું હતું.
#WATCH | Aurangabad, Bihar: On four people dying due to a parking dispute, CDPO Aurangabad, Enul Haq says, "... Parking a car outside a shop led to a scuffle between the driver and the shop owner. One person sitting inside the car took out his pistol and fired at the shopkeeper.… pic.twitter.com/WpchHcRyfT
— ANI (@ANI) January 15, 2024
આ સમગ્ર ઘટનામાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના પણ મોત થયા છે, જ્યારે બેની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર મામલામાં કુલ 4 લોકોના મોત થયા છે.
વધુ વાંચો: જનેતાનો દેહ ચિતા પર ત્રણ દીકરીઓ પૈસા માટે ઝઘડી! સ્મશાન પર 9 કલાક ચાલ્યો ડ્રામા
પાર્કિંગ વિવાદને લઈને આ બનાવની જાણ થતા જ નબીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઝઘડો શાંત પાડ્યા બાદ પોલીસે ચારેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર તમામ લોકો પલામુના હૈદરનગરના રહેવાસી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir