બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / Bihar Hooch Tragedy: 22 people died in death potli! Only 6 are still confirmed in the government register
Priyakant
Last Updated: 03:58 PM, 15 April 2023
બિહારમાં ફરી એકવાર ઝેરી દારૂને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બિહારનાં મોતિહારી જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 22 લોકોના મોત થયા છે, જ્યારે દારૂ પીને ઘણા લોકો બીમાર થઈ ગયા છે. પશ્ચિમ ચંપારણના ડીઆઈજી જયંતકાંતે 6 લોકોના મોતની પુષ્ટિ કરી છે. પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મોતિહારીના તુર્કૌલિયા, હરસિદ્ધિ અને પહાડપુર અને મોતિહારીના અન્ય વિસ્તારોમાં અત્યાર સુધીમાં 22 લોકોના શંકાસ્પદ હાલતમાં મોત થયા છે.
Bihar | Six people have died and 10 people including two critically ill admitted to hospital. Seven people arrested in the case till now: Jayant Kant, DIG, Champaran Range on deaths allegedly due to consuming spurious liquor in Motihari
— ANI (@ANI) April 15, 2023
બિહારના પશ્ચિમ ચંપારણના DIG જયંતકાંતે હાલમાં 6 લોકોના મોતની પુષ્ટિ કરી છે. DIGના જણાવ્યા અનુસાર પૂર્વ ચંપારણના વિવિધ વિસ્તારોમાં 6 લોકોના મોત થયા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ કેસમાં સાત લોકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોતિહારીના તુર્કૌલિયા, હરસિદ્ધિ અને પહારપુર પોલીસ સ્ટેશનમાં શુક્રવારે બે મોત થયા હતા. લોકોના કહેવા પ્રમાણે ઝેરી દારૂ પીવાથી તેનું મોત થયું હતું. જોકે વહીવટી તંત્રના લોકો મોતનું કારણ ઝાડા-ઉલટીને જણાવી રહ્યા છે. આ તરફ શનિવાર સુધી 22 લોકોના મોતના સમાચાર પ્રાપ્ત થયા તો એક ડઝન વ્યક્તિ 'બીમાર' હોવાનું પણ સામે આવ્યું છે.
Bihar | Six people have died and 10 people including two critically admitted to hospital. Seven people arrested in the case till now: Jayant Kant, DIG, Champaran Range on deaths allegedly due to consuming spurious liquor in Motihari
— ANI (@ANI) April 15, 2023
દારૂ પીધા પછી શું લક્ષણો જોવા મળ્યા ?
માહિતી મુજબ દારૂ પીધા પછી લોકોને નબળાઈ અને જોવામાં તકલીફ થઈ રહી છે. 5 લોકોને મોતિહારી સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 4 લોકોને મુઝફ્ફરપુર રિફર કરવામાં આવ્યા છે. આ ઘટના હરસિદ્ધિ, પહારપુર અને તુર્કૌલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, તુર્કૌલિયાના લક્ષ્મીપુર ગામમાંથી 5 બીમાર લોકો હોસ્પિટલ પહોંચ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ લક્ષ્મીપુરમાં પડાવ નાખી રહી છે.
#WATCH | "It is a sad incident. I have asked for all information on it," says Bihar CM Nitish Kumar on the Motihari hooch tragedy which has claimed six lives. pic.twitter.com/IbzwAEoPVt
— ANI (@ANI) April 15, 2023
બિહારની મોતિહારી સદર હોસ્પિટલમાં તૈનાત એક ડોક્ટરે જણાવ્યું કે, દર્દીઓએ દારૂ પીધો હોવાનું સ્વીકાર્યું છે. જોકે પ્રશાસન પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યું છે. મોતિહારી અને મુઝફ્ફરપુર સિવિલ સર્જને પહેલા તેને ડાયેરિયા કહીને શંકાસ્પદ મૃત્યુ ગણાવ્યું હતું, પરંતુ જ્યારે દર્દીઓએ દારૂ પીવાની અને આંખમાં કંઈ ન દેખાતું હોવાની વાત કહી ત્યારે ડૉક્ટરોની શંકા વધુ ઘેરી બની. હાલમાં દાખલ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.
મીડિયા અહેવાલો મુજબ મૃતકોની યાદી
તુર્કૌલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મીપુર ગામનો મૃતક
હરસિદ્ધિ પોલીસ સ્ટેશન વિસ્તારના મૃતક
પહારપુર પોલીસ સ્ટેશનના મૃતક
સુગૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના મૃતક
બીમાર લોકોની યાદી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ