બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big update on Cyclone Biperjoy, now the direction of the cyclone will not change
Malay
Last Updated: 04:05 PM, 12 June 2023
બિપોરજોય વાવાઝોડું ગુજરાત માટે આફતરૂપ બને તેવી શક્યતા સર્જાઈ છે. બિપોરજોય વાવાઝોડું નલિયા અને કરાચીની વચ્ચે ટકરાઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે વાવાઝોડાની દિશા હવે નહીં બદલાય. હવામાન વિભાગની અત્યારની માહિતી પ્રમાણે ગુજરાતને વાવાઝોડાની અસર થશે. આગામી 15 જૂને બપોરે 12 વાગ્યે વાવાઝોડું નલિયા અને કરાચીની વચ્ચે ટકરાશે. અત્યારે વાવાઝોડું 7 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે.
5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14 જૂનની રાતથી જ દરિયામાં વાવાઝોડાની ભારે અસર દેખાશે. કચ્છ, પોરબંદર અને જામનગરમાં અસર દેખાશે. અત્યારે વાવાઝોડું પોરબંદરથી 320 કિમી દૂર છે. જ્યારે દ્વારકાથી 360 કિમી, કચ્છના નલિયાથી વાવાઝોડું 440 કિલોમીટર દૂર છે. વાવાઝોડાને લઈ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે.
15 અને 16 જૂને વરસાદને લઈને રેડ એલર્ટ
કચ્છના દરિયાકિનારા વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરાઈ છે. આ વાવાઝોડાને પગલે લોકોમાં ભારે ભય ફેલાયો છે અને દરિયાકિનારાના લોકોએ પૂજા-ઉપાસનાઓથી દરિયાદેવને ખમ્મા કરવાની ગળગળા સાદે પ્રાર્થના શરૂ કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડું વધુને વધુ વિકરાળરૂપ લઈ રહ્યું છે. સ્થાનિક હવામાન વિભાગે તા 15 અને 16 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિવિધ મંત્રીઓને દરિયાકાંઠાના અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે. રાજ્ય સરકાર સતત સ્થિતિનું ઝીણવટભરી રીતે અવલોકન કરી રહી છે. તો બીજી બાજુ બિપરજોય વાવાઝોડાના પગલે દરિયો ગાંડોતુર બન્યો છે. જેના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આ્યવ્ય ચે.
હવામાન વિભાગનું અત્યારનું અપડેટ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં આગળના 5 દિવસ વરસાદ રહેશે
- ગુજરાતમાં 14 જૂનથી વરસાદ શરૂ થશે
- અત્યારે છૂટોછવાયો વરસાદ ગુજરાતમાં થશે
- 15 અને 16 જૂને ભારે વરસાદ થઈ શકે
- પોરબંદરથી 320 કિલોમીટર વાવાઝોડું દૂર
- દ્વારકાથી વાવાઝોડું 360 કિલોમીટર દૂર
- જખૌ અને નલિયાથી 440 કિલોમીટર વાવાઝોડું દૂર
- ઉત્તર દિશામાં વાવાઝોડું આગળ વધી રહ્યું છે
- 14 જૂન સવારથી ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધશે
- માંડવી અને કરાચીમાં વિલય થશે
- જખૌ પાસેથી વાવાઝોડું પસાર થશે
- 14 અને 15 જૂને ભારે વરસાદ થશે
- કચ્છ, દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદ થશે
- જખૌ, નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું
- દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 3 નંબરના સિગ્નલની ચેતવણી
- અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું
- દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા
- 14 જૂન રાતથી દરિયામાં પવનની ગતિ વધશે
- માછીમારોને 16 જૂન સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી
- 15 જૂને બપોરે 12 વાગ્યે વાવાઝોડું ટકરાશે
- વાવાઝોડું આવવા સમયે પવન 125થી 135ની ઝડપે ફૂંકાશે
- અત્યારે 7 કિમીની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે
- અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતા
- 14 અને 15 જૂને અમદાવાદમાં પણ ભારે વરસાદ આવશે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir