બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big news for the agricultural power holders of Gujarat, the government has extended the tenure of this scheme
Malay
Last Updated: 11:45 AM, 4 July 2023
ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર છે. રાજ્યના ખેડૂતોને રાહત આપતો ઊર્જા વિભાગે નિર્ણય કર્યો છે. ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજનાની મુદતમાં ફરી એકવાર વધારો કરાયો છે,
6 એપ્રિલ 2023 સુધીમાં રજીસ્ટર કરનારને વધારાની તફાવતની રકમ ભરવામાં મુક્તિ અપાઈ છે. કિસાન સંઘની રજૂઆતના પગલે સરકારે ફરી સ્વૈચ્છિક જાહેરાત યોજનાની મુદતમાં વધારો કર્યો છે.
કિસાન સંઘની રજૂઆતના પગલે સરકારનો નિર્ણય
ખેડૂતો માટે ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજનાની મુદતમાં વધારો કરાયો છે. 31 ઓગસ્ટ સુધી યોજનાની મુદતમાં વધારો કરાયો છે. ખેતીના વીજ જોડાણને નિયમિત કરવા અંગેની યોજનાની મુદતમાં વધારો કરાયો છે. જેમાં 6 એપ્રિલ 2023 સુધીમાં રજીસ્ટર કરનારને વધારાની તફાવતની રકમ ભરવામાં મુક્તિ અપાઈ છે. આપને જણાવી દઈએ કે, આ સમય મર્યાદામાં સતત ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે આ યોજના વર્ષ 2022માં અમલમાં મુકાઈ હતી.
ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના શું છે?
- ખેતીના વીજ જોડાણને નિયમિત કરવા અંગેની આ યોજના વર્ષ 2022માં અમલમાં મુકાઈ હતી.
- આમાં ખેતી વિષયક વીજ જોડાણ ધરાવતા ગ્રાકરો અરજી કરી શકે છે.
- અરજી કર્યા પછી રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા સર્વે કરવામાં આવશે.
- જો વીજ ભાર જાહેર કર્યો હોય તેના કરતા વધુ હશે તો એક માસમાં ગ્રાહકે નાણા ભરપાઇ કરવાના રહેશે.
- જો નિયત સમય મર્યાદામાં ગ્રાહક નાણા ભરપાઇ ના કરે તો તો યોજનાનો લાભ મળવી શકશે નહીં
- વીજ કંપની દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
- વીજ ભાર ચેક કર્યા પછી વાસ્તવિક વીજ ભાર વધુ હોય તો ગ્રાહકે વર્તમાન મોટી મોટરના બદલે નાની મોટર સ્થાપવાની રહેશે.
- નાની મોટર સ્થાપિત કર્યા બાદ ગ્રાહકે આ અગેની લેખિતમાં જાણ સબ ડિવિઝનને કરવાની રહેશે.
- જો ગ્રાહકનું વીજ કંપનીનું કોઇપણ લેણુ બાકી હશે તો તે યોજનાનો ગ્રાહક લાભ લઇ શકશે નહીં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir