બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Big news for Rajkot and Porbandar Lok Mela extended after presentations
Kishor
Last Updated: 11:40 PM, 20 August 2022
સૌરાષ્ટ્ર સહીત ગુજરાતભરમાં લોકમેળાનું આગવું મહત્વ આજે પણ અકબંધ રહ્યું છે. ત્યારે સાતમ - આઠમના તહેવાર નિમિતે રાજકોટ અને પોરબંદરના આંગણે યોજાતા ભાતીગળ મેળામાં ગામડે-ગામડેથી માણસો ઉમટી પડતાં હોય છે. જે ને લઈને આ બંને મેળાની અનોખી લોકપ્રિયતા છે. તેવામાં લોકોની ભીડને ધ્યાને લઇને રાજકોટ લોકમેળા અને પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાની મુદતમાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
પોરબંદર-રાજકોટ લોકમેળો એક દિવસ લંબાવાયો
રંગીલા રાજકોટના મશહૂર આઝાદી કા અમૃત લોકમેળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રેસકોર્સ મેદાનના આંગણે ગત 17 ના રોજ ઉદ્ઘાટન કરાયું હતું. ત્યારબાદ લોકમેળામાં બરોબરનો માહોલ જામ્યો છે. જેમાં ખાસ કરીને સાતમ - આઠમનાં રોજ લાખો લોકોએ ઉમટી પડી મેળાની મોજ માણી હતી.જેને લઈને ધંધાર્થીઑને પણ સારો વેપાર થયો હતો. જન્માષ્ટમીના પર્વે સાડા ચાર લાખ લોકોએ લોકમેળો માણ્યો હતો.રાઈડસ,ખાણીપીણી,રમકડાં સહીત સ્ટોલ્સ હાઉસફૂલ જોવા મળ્યા હતા. જેથી રાજકોટની જનતા માટે મોટા સમાચાર સમાન રાજકોટ લોકમેળોને એક દિવસ લંબાવવામાં આવ્યો છે. જે અંગે રાજકોટ કલેક્ટરે જાહેરાત કરી હતી. મહત્વનું છે કે લોકો દ્વારા મળી રહેલ રજૂઆતોને પગલે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે લોકમેળો 22 ઓગસ્ટ સુધી ચાલશે. એજ રીતે પોરબંદરમાં પણ જન્માષ્ટમીના લોકમેળાની મુદત વધારાઇ છે. મેળામાં આવેલ ધંધાર્થીઓના હિતમાં પાલિકાએ નિર્ણય લીધો છે હવે 23 ઓગસ્ટ સુધી પોરબંદરમાં લોકમેળો ચાલશે.
મેળામાં આવેલ ધંધાર્થીઓના હિતમાં નિર્ણય
મહત્વનું છે કે કોરોના મહામારીના બે વર્ષ બાદ લોકમેળો યોજાયો હોવાથી લોકો મોટી સંખ્યામાં મોજ માણી રહ્યા છે. ઉપરાંત કોરોનાને લીધે મેળાના ધંધાર્થીઑને પણ ઘરે બેસવાનો વારો આવ્યો હતો. આથી તમામના હિતમાં તંત્ર દ્વારા આ નિર્ણય કરાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir