બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big news came out about Biporjoy storm
Malay
Last Updated: 03:30 PM, 14 June 2023
અતિવિનાશક બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાને ઘમરોળવા આવી રહ્યું હોવાથી લોકોમાં ભારે ભય પ્રસરી ગયો છે. રાજ્ય સરકાર દ્વારા આ વાવાઝોડા સામે લડત આપવા યુદ્ધસ્તરે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય વાવાઝોડું ભારત-પાકિસ્તાન ઇન્ટરનેશન બોર્ડર પર ટકરાઇ શકે છે.
15 જૂને સાંજે ટકરાશે વાવાઝોડું
એવું કહેવામાં આવી રહ્યું છે કે, નલિયાથી આગળ સિરક્રિક વિસ્તારમાં વાવાઝોડું ટકરાઇ શકે છે. બિપોરજોય ભારતના નારાયણ સરોવર અને પાકિસ્તાનના કેતી બંદર વચ્ચે ટકરાઇ શકે છે. ભારત-પાક આંતરાષ્ટ્રીય બોર્ડર એકદમ નિર્જન અને સુનો વિસ્તાર છે. જો આ વિસ્તારમાં ટકરાઇ તો જાન-માનનો ઓછા નુકશાનનો ભય છે. ભારતના સિરક્રિક વિસ્તારથી પાકિસ્તાનના બડીન અને મીઠી સુધીનો વિસ્તાર નિર્જન છે.
110 કિમી સુધીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ભારત-પાકિસ્તાન બોર્ડરનો 400 કિમીનો જમીની વિસ્તાર એકદમ નિર્જન છે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, બિપોરજોય વાવાઝોડું 15 જૂન સાંજે સિરક્રિક અને નારાયણ સરોવરની આસપાસ ટકરાઇ શકે છે. બિપોરજોય વાવાઝોડાની આંખનો નારાયણ સરોવરથી રાજસ્થાનના પાલી સુધીના વિસ્તારમાં અસર જોવા મળશે. બિપોરજોય ટકરાશે ત્યારે 110 કિમી સુધી ભારે પવન ફૂંકાશે.
આર્મી, નેવી અને એરફોર્સની લેવાઈ મદદ
વાવાઝોડા બિપોરજોયની અસર ગુજરાત પર દેખાઈ રહી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને દરિયા કિનારાની નજીક આવેલા ગામોના લોકોનું સ્થળાંતર કરાયું છે. ચક્રવાત બિપોરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે આર્મી, નેવી અને એરફોર્સની મદદ લેવામાં આવી છે. આર્મીની રેસ્ક્યૂ ટીમ આજે રાહત અને બચાવ કામગીરી માટે દ્વારકા, જામનગર અને કચ્છમાં પહોંચી ગઈ છે. આર્મીના 78 જેટલા જવાન, 17 વાહનો મારફતે જામનગરના આર્મી કેમ્પથી દ્વારકા તરફ રવાના થયા છે.
NDRFની ટીમો તૈનાત
આર્મી સિવાય એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 12 એન્ડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. જ્યારે કેટલીક ટીમને રાજકોટ અને ગાંધીધામમાં તૈનાત કરાઈ છે. જેથી જરૂરિયાતના સમયે તેને સરળતાથી મૂવ કરી શકાય એટલે ત્રણ જેટલી ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. કુલ મળીને ગુજરાતમાં 15 ટીમ તૈનાત કરાઈ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir