બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Kishor
Last Updated: 09:32 AM, 15 July 2023
ઘણા લોકો એવા હોય છે. જેના શરીરમાં સામાન્ય દુ:ખાવાની સાથે જ તેઓ તાત્કાલિક પેઇનકિલર્સનો દવા લેતા હોય છે. પરંતુ ખરેખર આ દવા દર્દ દૂર રહી છે કે શરીરના કોઈ ભાગને મોટું નુકસાન કરી રહી છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. એવો દાવો કરવામાં આવે છે કે દરરોજ પેઇનકિલર્સ લેવાથી લીવર ડેમેજ, એક્યુટ ગેસ્ટ્રાઇટિસ, પેટને આડઅસર કિડનીને નુકસાન જેવી અનેક સમસ્યા માથું ઊંચકી શકે છે.બે પ્રકારની પીડા નિવારક દવાઓ છે, પ્રથમ પેરાસીટામોલ આધારિત અને NSAIDs અથવા બિન-સ્ટીરોઈડલ વિરોધી દવાઓ જેમાં ડીક્લોફેનાક, સોડિયમ, આઈબુપ્રોફેન, પ્રોફેન, એસીક્લોફેનાક સહિતની દવાનો સમાવેશ થાય છે.આ દવાઓ મેડિકલ સ્ટોર્સ પર આસાનીથી મળી જતી હોવાથી લોકો દર્દની સમયે તેનો ઉપયોગ કરતા હોય છે.
કિડનીને થઈ શકે છે મોટું નુકસાન
નિષ્ણાતો દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે દરરોજ ત્રણથી ચાર મહિના દરમિયાન એક ગ્રામથી વધુ પેરાસીટામોલ લેવાથી લીવર અને કિડનીને મોટું નુકસાન પહોંચે છે. એક ગ્રામ પેરાસીટામોલ એનએસઆઇડી જેટલું નુકસાન પહોંચાડતી ન હોવા છતાં પણ તેને વધુ ન ખાવી જોઈએ. NSAIDsના વધુ ઉપયોગ લીવરની ઇજા, તીવ્ર ગેસ્ટ્રાઇટિસ, ગેસ્ટ્રિક અલ્સર, કિડનીને કાયમી નુકસાન જેવી ઘણી સમસ્યાઓ ઉદ્દભવું શકે છે. એટલુ જ નહીં અન્નનળીનેં પણ મોટું નુકસાન થાય છે. બે અઠવાડિયાથી વધુ સમય સુધી NSAIDsનું સેવન કરવાથી કિડનીને ભયંકર નુકસાન થાય છે. વધુમાં હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ પણ ખૂબ જ વધી જાય છે. ઉપરાંત એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ વધારી શકે છે. જેની તેનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ.
આ રહ્યા લક્ષણ
કિડનીમાં નુકસાની અંગેના સંકેતની વાત કરવામાં આવે તો સામાન્ય પેશાબ કરતા ઓછો પેશાબ થવા લાગે તો સાવધાન થવું જરૂરી છે. જે કિડનીની કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર પડી હોવાનું વર્ણાવે છે. વધુમાં લીવર નજીક જમણી પાંસળીની નીચે, તીવ્ર પીડા અને કોમળતાનો અનુભવ થાય તો તાત્કાલિક નિષ્ણાતની સલાહ કેવી જોઈએ. લીવર અયોગ્ય કામ કરતું હોવાથી લોહીની ગાંઠો જામે છે.
ચેતવણીના લક્ષણો
ઉપરાંત શરીરમાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ, પેટમાં દુખાવો, ઉધરસ, ખાંસી વખતે લોહી પણ આવી શકે છે. જો આવું થઈ રહ્યું હોય તો તેનો અર્થ એ છે કે તમારું અલ્સર મા કાણું પડયાનું માણવા આવે છે. જેથી તાત્કાલિક તબીબી સહાયની જરૂર છે. જેટલું વધુ પેઇનકિલર્સનો ઉપયોગ કરવામાં આવશે તેટલું જ જોખમ વધશે. જ્યારે અસહ્ય દુખાવો થાય ત્યારે જ ન છૂટકે પેઇન કિલર્સ લેવી જોઈએ. બાકી રોજની આદન બનાવશો તો મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે તેમ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir