બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
vtvAdmin
Last Updated: 05:22 PM, 30 March 2019
ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ પ્લેયર સચિન તેંડુલકર વનડે મેચમાં 10 નંબરની જર્સી પહેરીને ગ્રાઉન્ડ પર રમવા માટે આવતા હતા. પરંતુ હવે ટીમ ઇન્ડિયાનો કોઇ પણ બીજો પ્લેયર આ નંબરની જર્સીમાં નહી જોવા મળે. BCCIએ પ્લેયર્સની સહમતિ લીધા પછી નિર્ણય કર્યો છે કે આગળથી ભારતીય ક્રિકેટ ટીમના કોઇ પણ પ્લેયરને 10 નંબરની જર્સી નહી આપવામાં આવે. જોકે આ અંગે કોઇ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી.
ADVERTISEMENT
BCCIએ ઇચ્છે છે કે 10 નંબરની જર્સમી માત્ર સચિનના નામ પર જ રહે અને આ તેમને પ્લેયર્સ અને બોર્ડની તરફથી આ સમ્માન આપવામાં આવ્યુ છે. વર્ષ 2013માં સચિને ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું હતુ. તેમણે છેલ્લી મેચ 2012માં પાકિસ્તાનની વિરુદ્ઘ વન ડે મેચમાં 10 નંબરની જર્સી પહેરી હતી જે પછી 5 વર્ષ સુધી કોઇ પણ પ્લેયરે નંબરની જર્સીનો ઉપયોગ કર્યો ન હતો.
ગત વર્ષ ઓગસ્ટમાં શ્રીલંકા વિરુદ્ઘ ફાસ્ટ બૉલર શાર્દુલ ઠાકુરને 10 નવેમ્બરના જર્સી પહેરી ત્યારે ક્રિકેટ ફેન્સમાં ખૂબ જ ગુસ્સો જોવા મળ્યો હતો સોશ્યલ મીડિયા પર ઠાકુરને ટ્રોલ કરવામાં આવ્યો અને તેના પર સચિન બનવાનો પ્રયત્ન કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ કારણથી જ કોઇ પણ પ્રકારના વિવાદથી બચવા માટે BCCIએ આ નિર્ણય લીધો છે. કેમકે વિવાદથી ક્રિકેટરને પણ ટીકાઓનો સામવો કરવો પડે છે જેની અસર તેના ફોર્મ પર પડે છે. આ કારણથી 10 નંબરની જર્સીને પણ રિટાયર કરવામાં આવશે. જોકે ઇન્ડિયા અથવા તો કોઇ ઘરેલૂ મેચમાં પ્લેયરને 10 નંબરની જર્સી પહેરવાની છૂટ આપવામાં આવી છે જોકે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કોઇ પણ ભારતીય પ્લેયર 10 નંબરની જર્સી ગ્રાઉન્ડ પર નહી પહેરેલો જોવા મળે.
તમને જણાવી દઇએ કે IPLમાં ટીમ મુંબઇ ઇન્ડિયન્સે પણ 2013માં સચિનના રિટાયર્મેન્ટ પછી 10 નંબરની જર્સીને પોતાની ટીમમાંથી રિટાયર કરી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT