બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Baloch activist naela quadri baloch india help balochistan
Hiren
Last Updated: 12:13 AM, 24 July 2022
પ્રોફેસર નાયલા કાદરી બલોચે દિલ્હી પહોંચીને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર પર પાકિસ્તાનની કરતૂતનો પર્દાફાશ કરી દીધો. નાયલા કાદરી પાકિસ્તાનના ગેરકાયદે વિસ્તાર બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે આંદોલન ચલાવનારા નેતાઓને 21 માર્ચ સુધી પોતાની દેશનિકાલ સરકારની રચના કરી. કેનેડામાં દેશનિકાલ વસી રહેલી વરિષ્ઠ બલોચ નેતા નાયલા કાદરી બલોચને તેના પ્રમુખ બનાવાયા છે. હાલ તેઓ ભારત પ્રવાસે છે. અહીં દિલ્હી પહોંચીને તેમણે મીડિયા સાથે વાત કરી હતી.
ભારત અમને આઝાદ કરાવેઃ બલોચ નેતા
બલૂચિસ્તાનમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. આઝાદી માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. અહીં પર નાના છોકરા-છોકરીઓ સંઘર્ષ કરી રહ્યા છે. હું ભારત પાસે પાકિસ્તાન નામના આતંકવાદના કેન્દ્રને સમાપ્ત કરવા માટે બલૂચિસ્તાન સાથે હાથ હાથ મિલાવવાનો આગ્રહ કરીશ.
Delhi | There's a civil war in Balochistan. There's an ongoing struggle for freedom. There are little girls and boys struggling. I would urge India to join hands with Balochistan to end the hub of terrorism, called Pakistan: Baloch activist and professor Naela Quadri Baloch pic.twitter.com/tHMkC6d73f
— ANI (@ANI) July 23, 2022
CPEC અંગે કહી આ વાત
નાયલા કાદરીએ ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર જેને CPEC પણ કહેવામાં આવે છે, આ અંગે પણ કેટલાક ખુલાસા કર્યા. તેમણે કહ્યું કે, આ કોરિડોર બલૂચિસ્તાનવાળા માટે મોતનું ફરમાન જેવો છે. તેમણે કહ્યું કે, આ કોઈ ઇકોનોમિક પ્રોજેક્ટ નથી પરંતુ આ સેન્ય પ્રોજેક્ટ છે. કોઇપણ દેશને આ અધિકાર નથી કે તેઓ બલોચના બંદરગાહને વેચી દે. તેઓ અમને ચીની પાકિસ્તાની વસ્તુઓના નિર્માણ માટે અમારા પૂર્વજોની જમીનથી વિસ્થાપિત કરી રહ્યા છે.
2016માં નાયલા કાદરીનું નિવેદન
વર્ષ 2016માં નાયલા કાદરીનું નિવેદન ખુબ ચર્ચામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના લોકોના હીરો છે. વારાણસીમાં આયોજિત 2 દિવસીય સંસ્કૃતિ સંસદમાં વિશ્વ બલૂચ મહિલા સંઘના અધ્યક્ષ નાયલા કાદરીએ પાકિસ્તાન, ચીનની સાથે મળીને બલૂચિસ્તાનમાં બલૂચ જાતને ખતમ કરવા માંગે છે. પાકિસ્તાન બલૂચ લોકોના નરસંહાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, જો ભારત સરકાર મંજૂરી આપે છે તો બલૂચિસ્તાનની દેશનિકાલ સરકારની રચના વારાણસીમાં કરવામાં આવશે. બલૂચ આઝાદીનો મુદ્દો ઉઠાવવા પર નરેન્દ્ર મોદીના વખાણ કરતા નાયલાએ કહ્યું કે, બલૂચિસ્તાન આઝાદ થાય છે તો તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિમા લગાવશે.
બલૂચિસ્તામાં ચાલી રહ્યો છે સંઘર્ષ
બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે બલોચ વર્ષોષી સંઘર્ષ કરી રહ્યા છે. અંદાજિત 1 મહિના પહેલા બલોચ લિબરેશન આર્મીના જવાનોએ પાકિસ્તાની સેનાની એજન્સીઓ વિરૂદ્ધ હુમલો વધાર્યો હતો. સમાચાર આવ્યા હતા કે, બીએલએએ મિલિટ્રી ઇન્ટેલિજેન્સ અને પાકિસ્તાની ગુપ્ત એજન્સી ઇન્ટર-સર્વિસ-ઇન્ટેલિજન્સ કરન શહેર સ્થિત ઓફિસ પર રોકેટ છોડ્યા હતા. જોકે તેમની કોઇ સત્તાવાર પુષ્ટિ નથી થઇ પરંતુ આ વિસ્તારમાં એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓ જોવા મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir