બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Bageshwar Sarkar said, those whose blood is clean will talk about Hindu Rashtra
Priyakant
Last Updated: 12:37 PM, 16 February 2023
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર બાદ હવે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દેશમાં સનાતન બોર્ડ બનાવવાની માંગ કરી છે. આટલું જ નહીં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, જેનું લોહી શુદ્ધ છે તે હિન્દુ રાષ્ટ્રની વાત કરશે. તેમણે દાવો કર્યો કે, હિન્દુ રાષ્ટ્રને લઈને સંસદમાં ટૂંક સમયમાં કંઈક થવાનું છે.
બાગેશ્વર ધામના પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. હાલમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે મહાયજ્ઞનું આયોજન કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી સંતો અને કથાકારો બાગેશ્વર ધામ પધારી રહ્યા છે. આ બધાની વચ્ચે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આજે એટલે કે ગુરુવારે ફરી એકવાર ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, સંસદમાં કંઈક થવાનું છે
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, જેની અંદર સનાતનનું લોહી અને જુસ્સો હશે તે ખુલ્લેઆમ હિન્દુ રાષ્ટ્રનું સમર્થન કરશે. હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરશે અને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું ચાલુ રાખશે. જો તેમના લોહીમાં કોઈ સમસ્યા હોય તો તે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત નહીં કરે અને અમને કોઈ વાંધો નથી. તેમણે દાવો કર્યો કે, અમારી પાસે એવો વિચાર પણ છે કે, ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું, હિંદુ રાષ્ટ્રને લઈને એક ક્રાંતિ આવી રહી છે, બહુ જલ્દી આ ક્રાંતિથી સંસદમાં કંઈક થવાનું છે.
व्यासपीठ और राजपीठ…
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) February 16, 2023
आज बुंदेलखंड के महाकुंभ में भाजपा के मध्यप्रदेश के अध्यक्ष माननीय बीडी शर्मा जी…दिल्ली से सांसद मनोज तिवारी जी और भाजपा के अन्य नेता गण और छत्तरपुर के स्थानीय विधायक श्री आलोक चतुर्वेदी जी पहुँचे…उन लोगो ने व्यासपीठ से आशीर्वाद लिया … pic.twitter.com/tiAryxSHKP
સ્વામી પ્રસાદ મૌર્યને લઈ પણ આપ્યું મોટું નિવેદન
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સનાતન બોર્ડની રચના કરવાની સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની માંગનું પણ સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, આ યોગ્ય માંગ છે. ચીન ભસ્મ થઈ જશે એવા સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદન પર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, અમે સનાતન ધર્મના વાહક છીએ અને અમારા ધર્મમાં કોઈને દબાવવાનું કે હિંસા કરવાનું શીખવવામાં આવતું નથી. શિક્ષણ એ આપણા ધર્મની નીતિ છે. જો તેઓને એવું લાગે છે, તો પહેલા તેઓએ જાતે જઈને પ્રયાસ કરવો જોઈએ.
लेखक गायक और बागेश्वर धाम पीठ के हरदिल पर राज करने वाले और परम पूज्य सरकार के लाड़ले चहेते लोकप्रिय सांसद माननीय मनोज तिवारी जी आज पधारे…पूज्य सरकार से आशीर्वाद ले कर अपार जनमानस के बीच अपनी भावानजली से सभी को मंत्रमुग्ध कर दिया… pic.twitter.com/7kMIR60xNs
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) February 16, 2023
કોંગ્રેસ નેતાઓ પહોંચતા શું બોલ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી ?
તાજેતરમાં કોંગ્રેસના નેતા કમલનાથ બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓના નિવાસસ્થાને પહોંચવા સંબંધિત પ્રશ્ન પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, જે પણ આવે છે તે અમે સ્વીકારીએ છીએ. કોણ સમર્થન કરી રહ્યું છે, કોણ વિરોધ કરી રહ્યું છે, આપણે તેમાં પડવાનું નથી. તેથી જેઓ આવ્યા તેમનો આભાર. બાગેશ્વર ધામ સૌને આશીર્વાદ આપે છે.
નોંધનીય છે કે,બાગેશ્વર ધામમાં 7 દિવસ સુધી યજ્ઞ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પહોંચવા લાગ્યા છે. કાર્યક્રમના પહેલા દિવસે કોંગ્રેસ નેતા કમલનાથ પહોંચી ગયા છે. તો હવે મધ્યપ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્મા પણ બાગેશ્વર ધામ પહોંચ્યા અને આશીર્વાદ લીધા. આ દરમિયાન રામકથાના સમયે વીડી શર્મા અને પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ એક જ સ્ટેજ શેર કર્યું હતું. વીડી શર્માએ કહ્યું કે, ભારતમાં રહેનાર દરેક વ્યક્તિ હિંદુ છે. દિલ્હીના બીજેપી સાંસદ મનોજ તિવારી પણ બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. તેણે સ્ટેજ પરથી ભોજપુરી ગીતો પણ ગાયા, જેને સાંભળીને દર્શકો ઉત્સાહિત થઈ ગયા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir