બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
vtvAdmin
Last Updated: 12:19 PM, 11 May 2019
ભગવાને અવતાર ધારણ કરતા પહેલા પોતાને મૂર્તિ સ્વરૂપ પ્રગટ કર્યુ માટે જ આ જે પણ આ મૂર્તિને સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ માનવામાં આવે છે.
- ભગવાન બદ્રીનાથની મૂર્તિ શાલિગ્રામ પથ્થરોથી બનેલી છે. શાલિગ્રામ ભગવાન વિષ્ણુનુ જ સ્વરૂપ માનવામાં આવે છે. જેને દેવી વૃંદાના શાપથી પથ્થરસ્વરુપ બનવું પડ્યું હતું.
- બદ્રીનાથની મૂર્તિ 1 મિટર એટલે 3.3 ફૂટ લાંબી છે. હિંદૂ અને બૌદ્ધ ધર્મના સંઘર્ષ દરમિયાન આ મૂર્તિના રક્ષણ માટે તેને મંદિર નજીક આવેલા નારદ કુંડમાં છુપાવી દેવાઇ હતી.
- 8મી સદીમાં શંકરાચાર્યને નારદકુંડમાં મૂર્તિની પ્રાપ્તિ ફરી થઈ. તેમણે એક ગુફામાં મૂર્તિને સ્થાપિત કરી જોકે મૂર્તિ તરત જ ત્યાંથી અંતધ્યાર્ન થઇ ગઇ હતી. જે પછી સંત રામાનુજાચાર્ચે આ મૂર્તિને ફરી સ્થાપિત કરાવી હતી.
- 16મી સદીમાં ગઢવાલ વિસ્તારના રાજાએ બદ્રીનાથ મંદિરનું નિર્માણ કરાવ્યુ અને મૂર્તિને ગુફામાંથી મંદિરમાં સ્થાપિત કરી.
- ભગવાન બદ્રીનાથની આ મૂર્તિને બદ્રીના ઝાડ નીચે એટલે કે બોરના ઝાડ નીચે સોનાના ચાંદરવાડાં સ્થાપિત કરવામાં આવી છે. ભગવાનની મૂર્તિ યોગમુદ્રામાં છે.
- ભગવાન બદ્રીનાથની આ મૂર્તિને ચાર હાથ છે. એક હાથમાં ચક્ર, એકમા શંખ અને 2 અન્ય હાથમાં તેમના ખોળામાં યોગ મુદ્રામાં સ્થિત છે.
- ભગવાન બદ્રીનાથની મૂર્તિમાં લલાટ ઉપર ખૂબ જ કિંમતી હીરો જડવામાં આવેલ છે.
- પદ્મ પુરાણ મુજબ ભગવાન વિષ્ણુએ અહીં મુડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. ભગવાનની માયાથી અહીં જ એકાદશી દેવીનું પણ પ્રાગટ્ય થયુ હતુ.
બ્રહ્માજીએ કરી હતી મૂર્તિની સ્થાપના:
ભગવાન બદ્રીનાથની મૂર્તિના સંદર્ભમાં એક વાર્તા એવી પણ સાંભળવા મળે છે કે સતયુગના સમાપ્તિ સમયે સ્વયં બ્રહ્માજીએ ભગવાનની આ પ્રતિમાની સ્થાપના ગુફામાં કરી હતી. તેમજ કળીયુગના અંત સમયે નર અને નારાયણ પર્વતો એકબીજા સાથે મળી જશે ત્યારે બદ્રીનાથની પૂજા આદી બદ્રી મંદિરમાં કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ