બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Pravin
Last Updated: 03:14 PM, 22 May 2022
બાબૂલ સુપ્રીયોએ ગત વર્ષે પોતાની લોકસભા સીટ આસનસોલ પરથી રાજીનામુ આપીને ભાજપ છોડી ટીએમસીમાં ગયા હતા. જો કે, હવે સમાચાર આવી રહ્યા છે કે, બૈરકપુર સીટ પરથી ભાજપ સાંસદ અર્જૂન સિંહ આજે કલકત્તામાં ટીએમસી મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જી સાથએ મળી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અર્જૂન સિંહ આજે સાંજે 4 કલાકે અભિષેક બેનર્જી સાથે મુલાકાત કરશે.
કેન્દ્રીય લીડરશિપ મનાવવા લાગ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપની કેન્દ્રીય લીડરશિપથી લઈને રાજ્યના નેતાઓ તેમને મનાવાની કોશિશમાં લાગ્યા છે. કહેવાય છે કે, અર્જૂન સિંહને સતત ફોન કરવામાં આવી રહ્યા છે, ટોપ લીડરશિપમાં પણ તેમને મનાવાની કોશિશ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, અર્જૂન સિંહ કલકત્તા તરફ રવાના થઈ ચુક્યા છે.
છ મહિનાથી ટીએમસીના સંપર્કમાં હોવાનું ખુલ્યું
તો વળી ટીએમસીના સૂત્રોએ જણાવ્યું છે કે, ભાજપ સાંસદ અર્જૂન સિંહ છેલ્લા છ મહિનાથી ટીએમસીના સંપર્કમાં છે. તેમની પાર્ટીના નેતાઓએ સાથે વાત થઈ રહી છે. તો વળી છેલ્લા કેટલાય સમયથી અર્જૂન સિંહ ભાજપ સરકાર વિરુદ્ધ નિવેદનો આપતા રહે છે. તેમના ખામીઓ ગણાવ્યા કરે છે.
2019 પહેલાના મોટા નેતા હતા અર્જૂન સિંહ
2019ની લોકસભા ચૂંટણી પહેલા અર્જૂન સિંહ બૈરકપુરથી ટીએમસી કોંગ્રેસના મોટા નેતા હતા. પણ ચૂંટણી અગાઉ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. ભાજપે 2019માં તેમને બૈરકપુરથી ટિકિટ આપી હતી, અને તેઓ જીતીને બૈરકપુરથી સાંસદ બની ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ