બ્રેકિંગ ન્યુઝ
'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન
ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો
મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો
રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ
રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
Megha
Last Updated: 09:01 AM, 21 January 2024
ADVERTISEMENT
22 જાન્યુઆરીની સવાર માટે અયોધ્યા તૈયાર છે. આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે અને રામલલાના વિરાજમાન થશે અને આ ક્ષણની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન હશે. આ ભવ્ય કાર્યક્રમમાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મહેમાનો આવી રહ્યા છે. આ કાર્યક્રમ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ભગવાન શ્રી રામના આગમન પહેલા અયોધ્યામાં અદ્ભુત લેઝર શો#Ayodhya #RamMandirPranPratishta #RamMandir #AyodhyaRamTemple #ShriRamHomecoming #SabkeRam #AyodhyaRamMandir #vtvgujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 21, 2024
VIDEO SOURCE : ANI pic.twitter.com/EpYNQG746T
ADVERTISEMENT
દરમિયાન પીએમ મોદીની અયોધ્યા મુલાકાતનો સત્તાવાર કાર્યક્રમ બહાર આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે શ્રી રામ જન્મભૂમિ પહોંચશે. બપોરે 12:05 થી 12:55 સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે. એવું જાણવા મળ્યું છે કે પીએમ મોદી સોનાની સોયથી રામલલાને કાજલ લગાવશે. આવતીકાલે શું ખાસ હશે ચાલો એ વિશે જાણીએ..
- PM મોદી 22 જાન્યુઆરી, સોમવારે સવારે 10.25 વાગ્યે અયોધ્યા એરપોર્ટ પહોંચશે
- સવારે 10.55 વાગ્યે શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચશે.
- બપોરે 12.05 વાગ્યે, શ્રી રામ અયોધ્યાના જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અને પૂજા કરશે.
- આ પછી તેઓ બપોરે 1 વાગે અયોધ્યામાં જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે.
- બપોરે 2:15 કલાકે કુબેર ટીલાના શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે.
આવતીકાલે રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, અયોધ્યામાં 7 લેયરમાં સુરક્ષા ગોઠવવામાં આવી I NATIONAL NEWS #Ayodhya #RamMandirPranPratishta #RamMandir #AyodhyaRamTemple #ShriRamHomecoming #SabkeRam #AyodhyaRamMandir #vtvgujarati pic.twitter.com/NnvIGba0KE
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 21, 2024
જણાવી દઈએ કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આઠ હજારથી વધુ મહેમાનો હાજરી આપશે, જેમાં દેશના વડાપ્રધાન, મહાન સંતો, રાજકારણીઓ, અભિનેતાઓ અને અન્ય લોકો સામેલ છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ માહિતી આપતા કહ્યું કે PM મોદી શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા દિવસના અવસર પર જાહેર સભાને સંબોધશે અને આ માટે જાહેર સભામાં 6000 ખુરશીઓ ગોઠવવામાં આવશે.
સાથે જ 13 VVIP મહેમાનો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આવશે. તેજેમાં TATA-બિરલા, રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવાર, અગ્રવાલ ગ્રુપના ચેરમેન, દાલમિયા ગ્રુપ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને ડૉ. સુબ્રમણ્યમ સ્વામીના પરિવારનો સમાવેશ થાય છે. આ સિવાય કેપી એન્ટરપ્રાઈઝના એરક્રાફ્ટ, ઈએચએ એવિએશન, આંતરરાષ્ટ્રીય મહેમાન, એરોટ્રાન્સ એવિએશનના માલિક બાબતપુર એરપોર્ટ પર ઉતરશે. અયોધ્યા એરપોર્ટ પર માત્ર 4 એરક્રાફ્ટ પાર્ક કરવા માટે જગ્યા છે તેથી વારાણસી એરપોર્ટ પર 13 એરક્રાફ્ટ પણ પાર્ક કરવામાં આવશે.
દેશમાં જ નહીં વિદેશોમાં પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની જોરદાર તૈયારીઓ થઈ રહી છે.22 જાન્યુઆરીએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અને 60થી વધુ દેશોમાં 200થી વધુ સ્થળોએ દિવાળીની ઉજવણી કરવામાં આવશે. આ સાથે જ પ્રાણ પ્રતિષ્ઠાનું ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT