બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
Last Updated: 01:30 PM, 15 May 2024
નાફેડની ચૂંટણીમાં એક બેઠક માટે 5 ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 5 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચતા રાજકોટનાં સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા હતા. નાર્ફેડનાં ડિરેક્ટર તરીકે મોહન કુંડારિયા બિનહરીફ થયા હતા. 1 બેઠક માટે 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મોહન કુંડારિયા બિનહરીફ થયા હતા.
ADVERTISEMENT
નાફેડની ચૂંટણીમાં ભાજપ દ્વારા કોઈ પણ ઉમેદવારને મેન્ડેટ આપવામાં નહી આવે. તેમજ ભાજપ દ્વારા મોહન કુંડારિયાને સમર્થન કરવામાં આવશે. તેમજ અન્ય ઉમેદવારોને મોહન કુંડારિયાનાં સમર્થનમાં અન્ય ઉમેદવારોને સૂચના આપશે. ત્યારે ઈફ્કોની ચૂંટણીમાં મેન્ડેટ વિવાદ બાદ ભાજપે નવી રણનીતિ અપનાવી છે. અત્યાર સુધી ભાજપ સહકારી ચૂંટણીમાં પોતાનાં ઉમેદવારને મેન્ડેટ આપતી હતી. રાજકોટનાં સાંસદ મોહન કુંડારિયી બિનહરીફ થઈ શકે છે. મોહન કુંડારિયાનાં સમર્થનમા અન્ય ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચશે. એક બેઠક માટે પાંચથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. તમામ ઉમેદવારો ભાજપ તરફી હોવાથી ઉમેદવારી પરત ખેંચાશે. જેમાં પાંચમાંથી ત્રણ ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચવા રાજી છે. મહેશ પટેલે ઉમેદવારી પરત ખેંચવા મુદ્દે વાતચીત કરી હતી. મહેશ પટેલે કહ્યું કે પક્ષ સૂચના આપશે તો ઉમેદવારી પરત ખેંચીશ.
ADVERTISEMENT
રાજકોટનાં સાંસદ મોહન કુંડારિયાએ ફોર્મ ભર્યું છે. જયેશ રાદડિયાનાં નજીકના ગણાતા મોરબીનાં મગનભાઈ વડાવિયાએ પણ ફોર્મ ભર્યું છે. જ્યારે બનાસકાંઠાનાં અમૃતભાઈ દેસાઈ અને સાબરકાંઠાનાં મહેશ પટેલ તેમજ ખેડાનાં જશવંતભાઈ પટેલે પણ ફોર્મ ભર્યું છે.
આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે. નાફેડની ચૂંટણી માટે સાંજ સુધી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. ફોર્મ પરત નહી ખેંચાય તો ઈફ્કોવાળી થવાની શક્યતા છે. સહકારી સંસ્થાઓમાં પ્રદેશ ભાજપ મેન્ડેટ આપે છે. ત્યારે એક બેઠક માટે આગામી તા. 21 નાં રોજ દિલ્હી ખાતે ચૂંટણી યોજાશે. ગુજરાતમાં નાફેડની કુલ 2 બેઠકો છે. એક બેઠક પર જેઠા ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે.
ઈફકો બાદ હવે 21 મેએ દિલ્લી ખાતે નાફેડની ચૂંટણી યોજાવાની છે.નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે. જેમાંથી એક બેઠક પર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે એક બેઠક પર ભાજપ તરફી પાંચ ઉમેદવારોએ ફોર્મ ભરતાં રાજકારણ ગરમાયું છે. રાજકોટના સાંસદ મોહન કુંડારીયાની ટીકીટ કપાતા તેમણે નાફેડની ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે. બીજી તરફ જયેશ રાદડિયાના નજીકના ગણાતા મોરબીના મગનભાઇ વડાવિયાએ ફોર્મ ભર્યું છે.
આ ઉપરાંત બનાસકાંઠાના અમૃતભાઇ દેસાઇ, સાબરકાંઠાના મહેશ પટેલ અને ખેડાના જશવંતભાઇ પટેલે ફોર્મ ભર્યા છે..મોટાભાગના ઉમેદવારો ભાજપ તરફી છે. પરંતુ ઈફકોમાં મેન્ડેટનો વિવાદ થતાં નાફેડની ચૂંટણીમાં ભાજપે હજુ સુધી કોઈ મેદવારને મેન્ડેટ આપ્યો નથી..આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. જો ઉમેદવારો ફોર્મ પરત નહીં ખેંચે તો નાફેડની ચૂંટણીમાં પણ ઈફકોવાળી થવાની શક્યા છે. નાફેડની 21મી મેએ દિલ્લી ખાતે ચૂંટણી યોજાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.