બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Vaidehi
Last Updated: 07:51 PM, 30 June 2023
ચોમાસા દરમિયાન વરસાદમાં ચા અને ભજીયા ખાવાનો આનંદ આવતો હોય છે જો કે કેટલાક લોકો પોતાની તબિયતને ધ્યાનમાં રાખીને ભજીયા જેવી ચીજોની જગ્યાએ હેલ્ધી સબ્જી, જ્યૂસ, સલાડ વગેરે ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે ચોમાસા દરમિયાન આ પ્રકારનાં હેલ્ધી ફુડથી તમે બીમાર પણ પડી શકો છો. જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે?
એક્સપર્ટ એડવાઈઝ
IIMS દિલ્હીનાં ડિપાર્ટમેન્ટ ઓફ માઈક્રોબાયોલોજીમાં સીનિયર રેઝિડેંટ ડો. મનાલી અગ્રવાલ કહે છે કે મોનસૂન દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે જેના લીધે ભોજન દૂષિત થઈ જાય છે. આ દરમિયાન બેક્ટેરિયા, વાયરસ અને ફંગસમાં વધારો થઈ શકે છે.
વરસાદ દરમિયાન આ બીમારીઓનું જોખમ સૌથી વધુ
આવા પ્રકારની સીઝનમાં ભોજન સંબંધિત બીમારી એટલે કે ફૂડ પોઈઝનિંગ, સાલ્મોનેલા, ઈ કોલાઈ, રોટાવાયરસ, કૃમિ સંક્રમણ અને બેક્ટેરિયાને લીધે થનારા રોગ જેવા કે ગેસ્ટ્રોએંટેરાઈટિસ થઈ શકે છે. એટલું જ નહીં મચ્છરથી થતાં રોગ જેવા કે ડેંગ્યૂ, ચિકનગુનિયા, મલેરિયા વગેરેનો પણ ખતરો રહે છે.
વરસાદમાં આ 4 ફૂડ કરી શકે છે તમને બીમાર
લીલી શાકભાજી
પાંદડાવાળા શાકભાજી તમારા સ્વાસ્થ્ય માટે અતિ પૌષ્ટિક હોય છે. આ પ્રકારનાં શાકભાજી ખાવાથી તમારા શરીરને અનેક પ્રકારનાં ન્યૂટ્રીયન્સ પ્રાપ્ત થાય છે. પરંતુ ચોમાસાની સીઝનમાં હવામાન ભેજવાળું હોવાને લીધે આ પ્રકારનાં શાકભાજી થોડા જ સમયમાં બગડી જાય છે. પાલક અને કોબીજ જેવાં શાકભાજીઓમાં જીવાણું પેદા થઈ જાય છે. જેથી તે તમારી તબિયતને નુક્સાન પહોંચાડી શકે છે.
મશરૂમ
મશરૂમ હેલ્ધી ફૂડ છે પરંતુ હવામાં ભેજનાં વાતાવરણને લીધે મોનસૂન દરમિયાન મશરૂમમાં બેક્ટેરિયા કે ફંગલનું સંક્રમણ સૌથી વધારે થઈ જાય છે. મશરૂમ માટીની સૌથી નજીક હોય છે જેના લીધે તે વધુ ભેજની આસપાસ રહે છે. તેવામાં આ સીઝનમાં મશરૂમ ખાવાથી બીમાર પડી શકાય છે.
જ્યૂસ અને અન્ય પેય પદાર્થ
ગરમીની સીઝનમાં જ્યૂસ સતત પીવું જ જોઈએ પરંતુ વરસાદનાં સમયે આ પીણું શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. લારી પર જ્યૂસ વેંચનારાઓ મોટાભાગે ફ્રૂટ્સને કાપીને રાખતાં હોય છે જેના લીધે થોડી જ વારમાં તેમાં બેક્ટેરિયા જન્મ લઈ લે છે. આ પ્રકારનો ફ્રૂટ જ્યુસ પીવાથી તમારી તબિયત બગડી શકે છે.
જંક ફૂડ
વરસાદની સીઝનમાં નાના-નાના વિવિધ જીવાણુંઓ જન્મ લે છે. તેવામાં શક્ય છે કે બહારનાં સ્ટ્રીટ ફૂડ્સમાં આ પ્રકારનાં જીવાણુંઓ બેસે. આ સિવાય ગંદુ પાણી, સડેલા શાકભાજી વગેરેનાં ઉપયોગથી પકવેલ ફૂડ તમને બીમાર પાડી શકે છે. તેથી વરસાદી સીઝનમાં બહારનું ફૂડ ન ખાવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir