બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 07:39 AM, 23 June 2023
હિંદૂ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે. પ્રાચીન કાળથી જ ઋષિ-મુનીઓ અને રાજા-મહારાજામાં ગૌપાલનની પરંપરા રહી છે. હિંદૂ ધર્મમાં ગૌ-સેવાનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. ગૌ સેવાને ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે.
હિંદૂ પરંપરાઓ અનુસાર ભોજન પહેલા ગાયના માટે ભોજન કાઢવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં આજે પણ મોટાભાગના ઘરોમાં પહેલી રોટલી ગાયને અને છેલ્લી કૂતરાને આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેનું મહત્વ શું છે?
ગાયને માનવામાં આવે છે દેવ તુલ્ય
હિંદૂ ધર્મમાં ગાયને દેવ તુલ્ય માનવામાં આવે છે. શાસ્ત્રોની માન્યતાઓ અનુસાર ગાયના શરીરમાં દરેક દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે આપણે પહેલી રોટલી ગાયને ખવડાવીએ છીએ તો દરેક દેવી દેવતાઓને ભોગ લાગી જાય છે. માટે બધા દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જાણો આમ કરવાના ફાયદા વિશે.
કુંડળી દોષથી રાહત
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ પણ કુંડળીમાં રાહુ કેતુ કે શનિ દોષ છે તો તેને દરરોજ રાત્રે છેલ્લી બનાવેલી રોટલી શ્વાનને ખવડાવવી જોઈએ. એવું કરવાથી કુંડળીમાં જે પણ દોષ છે તે દૂર થશે.
આર્થિક સંકેટ થશે દૂર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવી માન્યતા છે કે જો તમે ગરીબીની સમસ્યાથી પરેશાન છો તો ઘરમાં સવારે બનેલી પહેલી રોટલીના ચાર ટુકડા કરી લો. હવે તેનો પહેલો ટુકડો ગાયને, બીજો ટુકડો શ્વાનને, ત્રીજો ટુકડો કાગડાને અને ચોથો ટુકડો કોઈ ચાર રસ્તે મુકી દો. માન્યતા છે કે આમ કરવાથી ઘરની દરેક આર્થિક સમસ્યાઓથી છુટકારો મળી જાય છે. તેનાથી ગરીબી દૂર થાય છે અને ધનનો લાભ થાય છે.
સુખ શાંતિનો વાસ
હિંદૂ ધર્મની માન્યતાઓ અનુસાર જો તમારા ઘરમાં સુખ શાંતિ નથી, કલેશ છે તો એવી વ્યક્તિ દરરોજ સવારે બનાવેલી પહેલી રોટલી ગાય અને છેલ્લી શ્વાનને ખવડાવવી જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે. તેનાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir