બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / artical 370 jammu and kashmir hearing in Supreme Court

આદેશ / 35-Aના કારણે ભારતીયોના 3 મૂળભૂત અધિકાર છીનવાયા: ધારા 370 પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

Arohi

Last Updated: 02:50 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jammu And Kashmir Hearing In SC: કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019એ જમ્મુ-કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપનાર આર્ટિકલ 370ને ખતમ કર્યું છે. સરકારના આ નિર્ણય વિરૂદ્ધ દાખલ 23 અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

  • જમ્મુ-કાશ્મીમાંથી આર્ટિકલ 370 કરવામાં આવ્યું છે દૂર
  • સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે ચાલી રહી છે સુનાવણી 
  • 35-Aના કારણે ભારતીયોના 3 મૂળભૂત અધિકાર છીનવાયા

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370ને ખતમ કરવાના વિરૂદ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે 12માં દિવસે સુનાવણી ચાલી. આ સમયે કેન્દ્રએ કોર્ટને જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરને બે અલગ અલગ યુનિયન ટેરિટરીમાં વહેચવાનું પગલું અસ્થાયી છે. જલ્દી જ બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોને ફરી એક રાજ્ય બનાવી દેવામાં આવશે. 

તેને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સવાલ કર્યો કે આ પગલું કેટલું અસ્થાયી છે અને રાજ્યમાં ચુંટણી ક્યારે કરવામાં આવશે. કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો કે તે જમ્મુ-કાશ્મીરને ફરી રાજ્ય બનાવવા માટે સમય નિર્ધારિત કરે. 

CJIએ કહ્યું- 35Aએ નોન-કાશ્મીરીઓના અધિકાર છીનવ્યા 
28 ઓગસ્ટે સુનાવણીમાં કોર્ટે આર્ટિલ 35Aને નાગરિકોના અધિકારોનું હનન કરનાર આર્ટિકલ ગણાવ્યું હતું. CJI ડી વાઈ ચંદ્રચુડે કહ્યું કે સંવિધાનની કલમ 35Aના હેઠળ જમ્મુ-કાશ્મીરના લોકોના ત્રણ પાયાના અધિકાર છીનવી લેવામાં આવ્યા. આ આર્ટિકલના કારણે અન્ય રાજ્યોના લોકોના કાશ્મીરમાં નોકરી કરવા, જમીન લેવા અને વસવાના અધિકારોનું હનન થયું. 

કેન્દ્રએ કહ્યુ- પુલવામા હુમલાના બાદ સરકારે આર્ટિકલ 370 હટાવવા વિશે વિચાર્યુ
સોમવારે કેન્દ્રની તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે ફેબ્રુઆરી 2019એ પુલવામા આતંકી હુમલો થયો હતો. જેમાં 40 જવાન શહીદ થયા હતા. આ હુમલા બાદ કેન્દ્રને જમ્મુ-કાશ્મીરનો ખાસ દરજ્જો ખતમ કરવા અને સંપૂર્ણ રીતે ભારતીય ગણરાજ્યમાં શામેલ કરવા વિશે વિચારવું પડ્યું. 

તુષાર મહેતાએ કહ્યું કે આર્ટિકલ 370 લાગુ થવાના કારણે જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રના ઘણા કાયદા લાગુ નથી થઈ શકતા. દેશના સંવિધાનમાં શિક્ષાનો અધિકાર જોડવામાં આવ્યો છે. પરંતુ 370ના કારણે આ લાગુ નથી થઈ શક્યું. આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરના લોકોની બરાબરી પર લાવી દેવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ