બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / An attempt to forcefully put a sheet on the Trimbakesar Jyotirlinga
Priyakant
Last Updated: 02:46 PM, 16 May 2023
મહારાષ્ટ્રના નાસિકમાં ત્ર્યંબકેશ્વર મંદિરને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, મંદિરમાં પ્રવેશવાનો અને શિવલિંગ પર ચાદર ચઢાવવાના મુસ્લિમ સમુદાયના એક જૂથના પ્રયાસને સુરક્ષાકર્મીઓએ નિષ્ફળ બનાવ્યો હતો. આ તરફ આ ઘટનાને ગંભીરતાથી લેતા ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે SIT તપાસના આદેશ આપ્યા છે.
નાસિકમાં ત્ર્યંબકેશ્વર મંદિર મામલે આરોપ છે કે 10 થી 12 મુસ્લિમ યુવકોએ મંદિરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સિક્યુરિટી ગાર્ડે અંદર જવાની ના પાડી તો તેઓ મંદિરના બીજા દરવાજાની દિવાલ પર ચઢીને મંદિરની અંદર ગયા. તેઓએ મંદિરની અંદર ઘૂસી લીલું કપડું અને ફૂલોની ચાદર નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષાકર્મીઓએ તેઓને અટકાવ્યા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે.
#WATCH | It's the responsibility of the administration to maintain law and order but people must also cooperate. People from every community must come forward and maintain peace: Maharashtra CM Eknath Shinde on an incident at Nashik's Trimbakeshwar temple https://t.co/gEqTBO93Aw pic.twitter.com/NjxHITlxec
— ANI (@ANI) May 16, 2023
નાયબ મુખ્યમંત્રીએ આપ્યા કડક કાર્યવાહીના આદેશ
આ કેસમાં ગૃહમંત્રી દેવેન્દ્ર ફડવીસે એફઆઈઆર નોંધીને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ સમગ્ર મામલાની તપાસ માટે SITની રચના કરીને IG સ્તરના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આ તપાસ માટે સંત સમાજે દેવેન્દ્ર ફડણવીસનો આભાર વ્યક્ત કર્યો છે. દેવેન્દ્ર ફડણવીસના આદેશ બાદ નાશિક ગ્રામ્યના એસપી શાહજી ઉમા ત્ર્યંબકેશ્વર મંદિર જવા રવાના થઈ ગયા છે.
Maharashtra | There’s peace in Trimbakeshwar & there’s no problem in the law & order situation. We will proceed investigation as per the rules and regulations & will take further action on that basis. Our police inspector in Trimbakeshwar will do the further investigation: BG… pic.twitter.com/hOI0RKeQPS
— ANI (@ANI) May 16, 2023
હિન્દુ સંગઠનોએ આ ઘટનાનો કર્યો ઉગ્ર વિરોધ
આ તરફ નાસિકના હિંદુ સંગઠનોએ આ ઘટનાનો સખત વિરોધ કર્યો હતો અને ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. કાર્યવાહી કરતી વખતે પોલીસે અત્યાર સુધીમાં 4 થી 5 લોકોની ધરપકડ કરી છે. સૂત્રોનો દાવો છે કે, SIT માત્ર આ વર્ષની ઘટનાની જ નહીં પરંતુ ગયા વર્ષની ઘટનાની પણ તપાસ કરશે જેમાં ટોળું ત્ર્યંબકેશ્વર મંદિર પરિસરમાં મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir