બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Kiran
Last Updated: 11:19 AM, 18 December 2021
અમદાવાદમાં BU પરમિશન વગરના ચાલતા એકમો સામે AMCએ લાલઆંખ કરી છે. શહેરમાં વેદિકા રેસિડેન્સી, પંચધારા કોમ્પલેક્ષ સહિત 9 સ્થળો પર કોર્પોરેશન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રહેણાંક સહિત કોમર્શિયલ એકમો સીલ કરવામાં આવ્યા હતા જે વિસ્તારમાં BU પરમિશન વગર જ બિલ્ડિંગ ઉપયોગ કરાતો તેની સામે કોર્પોરેશન વિભાગે કાર્યવાહી કરી હતી. આમ AMC દ્વારા 232 યુનિટ સીલ કરવામાં આવ્યા હતા.
બે બિલ્ડીંગમાં 60 દુકાનો અને હીરાનુ કારખાનું સીલ
સુરતમાં પણ ગઈ કાલે BU પરિમશન વગર ચાલતી 145 હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી જ્યારે મોટા વરાછા અને અડાજણમાં 266 દુકાનો પણ સીલ કરાઈ હતી, મોટા વરાછામાં 170 અને અડાજણમાં 96 દુકાનો સીલ કરાઈ હતી. ત્યારે આજે પણ ડીંડોલીમાં સાઈ સૃષ્ટિ બિલ્ડીંગના ચાર માળ સીલ કરવામાં આવ્યા છે. અશ્વનિકુમાર રોડ ખાતે રેડ ટર્નિંગ બિલ્ડીંગ સહિત બે બિલ્ડીંગમાં 60 દુકાનો અને હીરાનુ કારખાનું પણ સીલ કરવામાં આવ્યું છે. મહત્વવું છે કે હાઈકોર્ટના આદેશ બાદ મનપા દોડતું થયું છે.
આગામી દિવસોમાં પણ સીલિંગની કામગીરી યથાવત રહેશે
ઉલ્લેખનિય છે કે અગાઉ કોવિડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ સામે આવતાં હાઇકોર્ટમાં થયેલી રિટ પીટીશનને ધ્યાનમાં રાખી 29 નવેમ્બરે આવી મિલકતોને તાકીદે સીલ મારવા સૂચના અપાઇ હતી. 23 ડિસેમ્બરે કોર્ટમાં સંભવત કાર્યવાહી મુદ્દે સુનાવણી હાથ ધરાનાર છે ત્યારે મહાનગર પાલિકાઓએ BU પરમિશન મુદ્દે કવાયત હાથ ધરી છે. જેને પગલે આગામી દિવસોમાં પણ સીલિંગની કાર્યવાહી ચાલુ રહેશે તેવું લાગી રહ્યું છે.
દુકાનદારો અને સંચાલકોએ મનપાએ લગાવેલા સીલ તોડ્યા
ગઈ કાલે મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી બાદ કેટલાક દુકાન માલિકો, સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. કેટલાકે તો મનપાની કાર્યવાહી બાદ દુકાનોના સીલ પણ તોડી નાખ્યા હતા. BU પરમિશન વિના ચાલતા અડાજણના સ્કારલેટ મોલ સીલ કરાતા મોલ સંચાલકોએ દરવાજા આગળ લગાવેલું સીલ તોડી નાખ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir