બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Kishor
Last Updated: 06:27 PM, 28 October 2022
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં રાજકીય ગતિવિધિઑ જોરશોરથી ચાલી રહી છે. તમામ રાજકીય પક્ષો સક્ષમ મુરતીયા માટે મહેનત અને મંથન કરી રહ્યા છે. તેવામાં ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી રાજનીતિ માટે નિરીક્ષકોની યાદી જાહેર કરી હવે સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં ગાંધીનગર સેન્સ પ્રક્રિયા ચર્ચામાં આવી હતી. કારણ કે, રાધનપુર બેઠક છોડી ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર અલ્પેશ ઠાકોરે દાવેદારી છે. જેને લઇને વિરોધનો મધપુડો છંછેડાયો હતો. મહત્વનું છે કે અગાઉ રાધનપૂર બેઠક પર પેટા ચૂંટણીમા અલ્પેશ ઠાકોરની હાર થઈ હતી.
ગાંધીનગર બન્ને સીટ પર રોહિતજી ઠાકોર અને અલ્પેશ ઠાકોરનો વિરોધ
ત્યારે હવે ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર અલ્પેશ ઠાકોરની દાવેદારીને પગલે ભાજપના કાર્યકરોએ જ તેમનો વિરોધ કર્યો હતો અને ભાજપના કાર્યકરોએ સ્થાનિકને ટિકિટ આપવા માટે માંગ ઉઠાવી હતી. અલ્પેશ ઠાકોરના સમર્થકોએ ગાંધીનગર દક્ષિણથી ટિકિટ માંગી હતી. જ્યારે રોહિતજી ઠાકોરે દેહગામથી ટિકિટ માંગી હતી. આમ ગાંધીનગર બન્ને સીટ પર રોહિતજી ઠાકોર અને અલ્પેશ ઠાકોરનો વિરોધ થયો હતો.
આયાતી ઉમેદવાર મુકાશે તો ભેગવવા તૈયાર રહેવાની ચીમકી
ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર ખેંચતાણ વધી હતી. અલ્પેશ ઠાકોર અને રોહિતજી ઠાકોરે ટિકિટ માંગતા ભાજપના કાર્યકરોમાં રોષ જોવા છવાયો હતો. કાર્યકરોએ આયાતી ઉમેદવાર ન મુકવા માંગ ઉઠાવી હતી. એટલુ જ નહિ આયાતી ઉમેદવાર આવશે તો સહકાર ન આપવાનું પણ રોકડુ પરખાવી દીધું હતું.આયાતી ઉમેદવાર મુકાશે તો ભેગવવા તૈયાર રહેવાની કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી હતી.
ગાંધીનગર દક્ષિણ બેઠક માટે શંભુજી ઠાકોરે પણ કરી દાવેદારી
બીજી તરફ ગાંધીનગર દક્ષિણ બેઠક માટે ધારાસભ્ય શંભુજી ઠાકોરે પણ દાવેદારી કરી છે. આ દરમિયાન શંભુજી ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપ શિસ્તમાં માનનારો પક્ષ છે. આથી પક્ષ જે પણ ઉમેદવાર નક્કી કરશે તે જ ઉમેદવાર ચૂંટણીમાં ઝંપલાવશે. વધુમાં 45થી વધુ દાવેદારોએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી બાયોડેટા આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir