બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 02:55 PM, 22 April 2023
હિંદુ ધર્મમાં અખાત્રીજના દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. એવું કરવાથી ભક્તની ઈચ્છા પૂર્ણ થાય છે અને સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. અખાત્રીજ પર સોનું ખરવાનું પણ વિધાન છે. માન્યતા છે કે આ દિવસે સોનું ખરીદવાથી તમારા જીવનમાં પ્રસિદ્ધિ આવે છે.
આ ઉપાય આપશે શુભ ફળ
દરેક માટે સંભવ નથી હોતું કે તે સોનુ ખરીદી શકે. એવામાં ઘણા બીજા ઉપાય છે જેને કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું ખૂબ જ લાભકારી સાબિત થાય છે. આવો જાણીએ અખાત્રીજ પર કઈ કઈ વસ્તુઓ છે જેને દાન કરવી જોઈએ.
આજના દિવસે કરો આ વસ્તુઓનું દાન
કંકુનું દાન
એવી માન્યતા છે કે અખાત્રીજ પર કંકુનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે વૈવાહિક જીવન જીવી રહ્યા છે. તેમણે ખાસ આનું દાન કરવું જોઈએ. માન્યતા છે કે તેનાથી તમારા અને તમારા પાર્ટનરની વચ્ચે નિકટતા વધે છે અને સંબંધ મજબૂત બને છે.
અનાજનું દાન
અખાત્રીજ પર કોઈ ભુખ્યા કે ગરીબ વ્યક્તિને અનાજ જરૂર દાન કરો. માનવામાં આવે છે કે દાન કરવું ખૂબ જ પુણ્યનું કામ છે. જેને કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
સોપારીનું દાન
હિંદુ ધર્મમાં પૂજા-પાઠ કરતી વખતે સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે. માન્યતા છે કે અખાત્રીજ પર સોપારીનું દાન કરવું સુખ-સૌભાગ્યનું કારક બને છે. એવું કરવાથી તમને આર્થિક લાભ થાય છે અને જીવનમાં આવનાર કષ્ટ પણ દૂર થાય છે.
નારિયેળ
માનવામાં આવે છે કે નારિયેળનું દાન કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો આ દાન અખાત્રીજ પર કરવામાં આવે તો તેનો લાભ વધારે થાય છે. આમ કરવાથી ભગવાન વિષ્ણુની ખાસ કૃપા બની રહે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir