બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / After the former MLA's statement, the Congress leader himself presented the leader with cash

બળાપો ઠાલવ્યો / કોંગ્રેસ હારી નથી EVM મશીન જીત્યું છે' પૂર્વ MLAના નિવેદન બાદ કોંગ્રેસ આગેવાને જ નેતાને રોકડું પરખાવ્યું

Vishal Khamar

Last Updated: 06:12 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસનાં પીઢ અગ્રણીએ પોતાનો બળાપો કાઢ્યો હતો. ત્યારે વઢવાણનાં પૂર્વ ધારાસભ્ય નંદ કિશોર દવેનાં નિવેદન બાદ પીઢ અગ્રણીએ બળાપો ઠાલવતા હતો. કોંગ્રેસ આગેવાનનાં બળાપા પર ધારાસભ્યો સહિત આગેવાનોએ મૌન સેવ્યું હતું.

  • સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં હોબાળો
  • કોંગ્રેસના પીઢ અગ્રણીએ પોતાનો બળાપો ઠાલવ્યો 
  • જિલ્લાનું એવુ કાર્યાલય ક્યાં છે જ્યા ફરીયાદ કરી શકીએ?: હરજી દલવાડી

સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વઢવાણનાં પૂર્વ ધારાસભ્ય નંદ કિશોર દવેએ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસ હારી નથી EVM જીત્યું છે તેવું નિવેદન આપતા બળાપો ઠાલવ્યો હતો. જે બાદ કોંગ્રેસનાં પીઠ અગ્રણીએ પણ પોતાનો બળાપો કાઢ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસ આગેવાનનાં બળાપા પર ધારાસભ્યો સહિત આગેવાનોએ મૌન સેવ્યું હતું.  અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાંચ રાજ્યોની યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભવ્ય જીત હાંસલ કરતા કોંગ્રેસનાં કાર્યકરોમાં નારાજગી વ્યાપી જવા પામી હતી. 

ડરપોક માણસો આપણી વચ્ચેથી ભાગી ગયા છેઃ નંદ કિશોર દવે (પૂર્વ ધારાસભ્ય)
વઢવાણનાં પૂર્વ ધારાસભ્ય નંદ કિશોર દવે દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે, જેમ આ મારો મોબાઈલ નંબર છે તેમ પેટી ઉપર પણ મોબાઈલ નંબર લખેલો હોય છે.  પેટીમાં કોઈ ગડબડ ન થાય તે માટે અનેક માણસો મુકવામાં આવતા હતા. તે સમય હવે જતો રહ્યો છે. હવે તો જે કાઉન્ટીંગ મશીન છે તેમાં જ ગોઠવણી થાય છે. તમારે કંઈ કરવાનું જ નથી. તેમજ આપણે ઓછા થતા ગયા છીએ. ઘણા બધા ભાજપમાં જતા રહ્યા. કોંગ્રેસમાં રહીને અસંખ્ય ભ્રષ્ટ્રાચાર કર્યો હોય.  અને ડર પેસી ગયો હોય કે અમારૂ બધુ ખુલ્લુ કરશે. ઈડી મોકલશે, સીબીઆઈ મોકલશે. તેવા ડરપોક માણસો આપણી વચ્ચેથી ભાગી ગયા છે. તેઓનો આપણે આભાર માનીએ છીએ કે આવા માણસો વહેલી તકે નીકળી ગયા. અને કોંગ્રેસને સ્વચ્છ બનાવવાની અંદર જે લોકો સહભાગી થયા છે તેઓનો પણ આભાર માનુ છું. આવા ડામીસ માણસો જેઓ સત્તા ઉપર સવાર થઈ ગયા છે તેને એકલી કોંગ્રેસ હટાવી શકે તેમ નથી જેથી ઈન્ડિયા કરીને સંગઠન ઉભું કર્યું છે. આપણે બધા સાથે મળીને આ ભ્રષ્ટ્રાચારી ભાજપને કાઢવાની છે. 

કોંગ્રેસમાં એવો કયા નેતા છે જેમને તમે ફરીયાદ કરી શકો ?-હરજી દલવાડી (પીઢ અગ્રણી)
આ કાર્યક્રમમાં કોંગ્રેસનાં પીઢ અગ્રણી હરજી દલવાડીએ પોતાનો બળાપો ઢાલવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં એવો કર્યો નેતા છે જેમને તમે ફરીયાદ કરી શકો? જીલ્લાનું એવું કાર્યાલય ક્યાં છે જ્યાં ફરીયાદ કરી શકીએે? આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ આહેવાનનાં બળાપા પર ધારાસભ્યો સહિત આગેવાનો કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ