બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / After the former MLA's statement, the Congress leader himself presented the leader with cash
Vishal Khamar
Last Updated: 06:12 PM, 13 December 2023
સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વઢવાણનાં પૂર્વ ધારાસભ્ય નંદ કિશોર દવેએ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસ હારી નથી EVM જીત્યું છે તેવું નિવેદન આપતા બળાપો ઠાલવ્યો હતો. જે બાદ કોંગ્રેસનાં પીઠ અગ્રણીએ પણ પોતાનો બળાપો કાઢ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસ આગેવાનનાં બળાપા પર ધારાસભ્યો સહિત આગેવાનોએ મૌન સેવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાંચ રાજ્યોની યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભવ્ય જીત હાંસલ કરતા કોંગ્રેસનાં કાર્યકરોમાં નારાજગી વ્યાપી જવા પામી હતી.
ડરપોક માણસો આપણી વચ્ચેથી ભાગી ગયા છેઃ નંદ કિશોર દવે (પૂર્વ ધારાસભ્ય)
વઢવાણનાં પૂર્વ ધારાસભ્ય નંદ કિશોર દવે દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે, જેમ આ મારો મોબાઈલ નંબર છે તેમ પેટી ઉપર પણ મોબાઈલ નંબર લખેલો હોય છે. પેટીમાં કોઈ ગડબડ ન થાય તે માટે અનેક માણસો મુકવામાં આવતા હતા. તે સમય હવે જતો રહ્યો છે. હવે તો જે કાઉન્ટીંગ મશીન છે તેમાં જ ગોઠવણી થાય છે. તમારે કંઈ કરવાનું જ નથી. તેમજ આપણે ઓછા થતા ગયા છીએ. ઘણા બધા ભાજપમાં જતા રહ્યા. કોંગ્રેસમાં રહીને અસંખ્ય ભ્રષ્ટ્રાચાર કર્યો હોય. અને ડર પેસી ગયો હોય કે અમારૂ બધુ ખુલ્લુ કરશે. ઈડી મોકલશે, સીબીઆઈ મોકલશે. તેવા ડરપોક માણસો આપણી વચ્ચેથી ભાગી ગયા છે. તેઓનો આપણે આભાર માનીએ છીએ કે આવા માણસો વહેલી તકે નીકળી ગયા. અને કોંગ્રેસને સ્વચ્છ બનાવવાની અંદર જે લોકો સહભાગી થયા છે તેઓનો પણ આભાર માનુ છું. આવા ડામીસ માણસો જેઓ સત્તા ઉપર સવાર થઈ ગયા છે તેને એકલી કોંગ્રેસ હટાવી શકે તેમ નથી જેથી ઈન્ડિયા કરીને સંગઠન ઉભું કર્યું છે. આપણે બધા સાથે મળીને આ ભ્રષ્ટ્રાચારી ભાજપને કાઢવાની છે.
કોંગ્રેસમાં એવો કયા નેતા છે જેમને તમે ફરીયાદ કરી શકો ?-હરજી દલવાડી (પીઢ અગ્રણી)
આ કાર્યક્રમમાં કોંગ્રેસનાં પીઢ અગ્રણી હરજી દલવાડીએ પોતાનો બળાપો ઢાલવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં એવો કર્યો નેતા છે જેમને તમે ફરીયાદ કરી શકો? જીલ્લાનું એવું કાર્યાલય ક્યાં છે જ્યાં ફરીયાદ કરી શકીએે? આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ આહેવાનનાં બળાપા પર ધારાસભ્યો સહિત આગેવાનો કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir