બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / અમદાવાદ / After CM Bhupendra Patel's assurance, Khedu Nyaya Yatra ends, incident of farmer jumping in Deodar
Vishal Khamar
Last Updated: 07:49 PM, 16 August 2023
બનાસકાંઠાના ખેડૂતોની ન્યાય પદયાત્રાને મુખ્યમંત્રી સાથે થયેલી બેઠક બાદ સમેટી લેવાઈ છે. ખેડૂતને લાફો મારવાને લઈ યોજાયેલી યાત્રા સમેટવાને લઈ ખેડૂત પ્રતિનિધિએ જણાવ્યુ હતુ કે, અમને ન્યાયિક તપાસની ખાતરી આપવામાં આવી છે.તેમજ આ તપાસ અન્ય જિલ્લાના પોલીસને સોંપવામાં આવશે તેવી બાંહેધરી પણ અપાઈ છે.જેને લઈને અમે યાત્રા સમેટીએ છીએ. વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, જો અમારી માંગણીઓ નહી સંતોષાય તો ફરી આંદોલન કરીશું. દિયોદરથી નીકળેલી આ યાત્રાને પોલીસે મહેસાણાના ગોઝારીયામાં રોકીને ચર્ચા કરાઈ હતી. આ ચર્ચાના અંતે પોલીસે મુખ્યમંત્રી સાથે ખેડૂત પ્રતિનિધિની બેઠકનું આયોજન કર્યુ હતુ. જે બાદ સરકાર અને ખેડૂતોની બેઠક મળી હતી. ત્યાર બાદ પદયાત્રાના આગેવાનોએ આ યાત્રા સમેટી લેવાની વાત કરી હતી. ગત 7 ઓગસ્ટે દિયોદરમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણના કાર્યક્રમમાં ખેડૂતને લાફો મારવાની ઘટના સામે આવી હતી. જેને લઈને ખેડૂતોએ ન્યાય પદયાત્રા યોજી ન્યાય આપવા અને કેશાજી ચૌહાણની રાજીનામાંની માગ કરી હતી.
યોગ્ય તપાસ નહી કરવામાં આવે તો આંદોલન અમે ફરી શરૂ કરીશુંઃ અમરાભાઈ
આ બાબતે ખેડૂત આગેવાન અમરાભાઈએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા સાત દિવસથી ન્યાય યાત્રા લઈને નીકળ્યા છીએ. અમારી માંગણી છે કે દિયોદરનાં ધારાસભ્યનું તાત્કાલીક રાજીનામું લેવામાં આવે અને ભાજપ સરકાર તેમને સસ્પેન્ડ કરે. આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમને સંપૂર્ણ વિશ્વાસ આપ્યો છે કે આ મામલાની સંપૂર્ણ તપાસ થશે. તેમજ આ બનાવની સમગ્ર તપાસ અન્ય જીલ્લાની પોલીસ દ્વારા કરવામાં આવે. જો સરકાર દ્વારા યોગ્ય તપાસ કરવામાં નહી આવે તો આ આંદોલન અમે ફરી શરૂ કરીશું.
ખેડૂત આગેવાને રજૂઆત કરતા ધારાસભ્યનાં સમર્થકે લાફો માર્યો હતો
ધારાસભ્ય કેશાજી ચૌહાણને સમસ્યાની રજૂઆત કરવા ગયેલા ખેડૂત પર MLAના સમર્થકોએ હુમલો કર્યો છે. અટલ ભૂજલ યોજના માટેનો આ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં ધારાસભ્ય પણ ઉપસ્થિત હતા જને લઈ અમરાભાઈ નામના ખેડૂત આગેવાન MLAને કેટલીક સમસ્યાની રજૂઆત માટે ગયા હતા. જ્યાં ધારાસભ્યના સમર્થકોએ એકાએક હુમલો કર્યો હતો અને ખેડૂત આગેવાનને ઉપરા છાપરી લાફા ઝીંકતાનો વીડિયો પણ સામે આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir