બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Megha
Last Updated: 08:53 AM, 16 February 2024
હિંદુ ધર્મમાં તમામ દિવસો અલગ અલગ દેવી દેવતાને સમર્પિત છે. શુક્રવારનો દિવસ લક્ષ્મી માતાને સમર્પિત છે. માનવામાં આવે છે કે, આ દિવસે લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. લક્ષ્મી માતાને ધનના દેવી માનવામાં આવે છે. લક્ષ્મી માતાની વિધિ અનુસાર પૂજા કરવાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. શુક્રવારે લક્ષ્મી માતાને તેમની પસંદગીની વસ્તુ અર્પણ કરવી જોઈએ. અહીંયા અમે તમને શુક્રવારના ઉપાય વિશે જણાવી રહ્યા છીએ.
શ્રી યંત્રની પૂજા કરો-
શુક્રવારના દિવસે વિધિ અનુસાર શ્રીયંત્રની પૂજા કરવી તે શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. આ કારણોસર શુક્રવારે શ્રી યંત્ર અને લક્ષ્મી માતાની વિધિ અનુસાર પૂજા કરવી જોઈએ અને શ્રી સૂક્તના પાઠ કરવા જોઈએ. સવાર સાંજ લક્ષ્મીજીને ઘીનો દીવો કરવો જોઈએ, જેથી નાણાંકીય સંકટ દૂર થાય છે અને આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય છે.
લક્ષ્મી સ્તોત્રના પાઠ કરો-
શુક્રવારના દિવસે લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા જોઈએ. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર ઈંદ્રદેવે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે લક્ષ્મી સ્તોત્રના પાઠ કર્યા હતા. આ કારણોસર દર શુક્રવારે તમામ ભક્તોએ લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા જોઈએ.
શુક્રવાર માટેના ઉપાય
દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આજે તેમને કમળનું ફૂલ ચઢાવો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જ્યારે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, ત્યારે જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે.
શુક્રવારે થોડા કાળા મરીને પીસીને કાચા દૂધમાં ઉમેરો. આ પછી તમારું નામ અને ગોત્ર બોલ્યા પછી તેને બિલિપત્રના ઝાડ નીચે મૂકો. ભગવાન શંકરને થોડું દૂધ પણ ચઢાવો. આ ઉપાય કરવાથી તમને જલ્દી જ નોકરી મળી જશે. પરીક્ષામાં પણ સફળતા મળે છે.
વધુ વાંચો: જિંદગીભર નીરોગી રહેવા આજે આ રીતે ઉજવો રથ સપ્તમી, શુભ મુહૂર્ત, વ્રત અને કથા વિશે જાણો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન શુક્રને પ્રસન્ન કરવા માટે વૈદિક મંત્ર- ‘ઓમ શુમ શુક્રાય નમઃ’નો 5, 11, 54 અથવા 108 વાર જાપ કરો. આમ કરવાથી ભગવાન શુક્ર પ્રસન્ન થાય છે. આ સિવાય શુક્ર ભગવાનની કૃપા મેળવવા માટે સ્વચ્છ વસ્ત્રો પહેરો અને અત્તરયુક્ત પ્રવાહીનો ઉપયોગ કરો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir