બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Adopt these 3 remedies every Friday ma Mahalakshmi will bring immense wealth

ધર્મ / દર શુક્રવારે અપનાવો આ 3 ઉપાય, માતા મહાલક્ષ્મી કરશે અપાર ધનવર્ષા

Megha

Last Updated: 08:53 AM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લક્ષ્મી માતાની વિધિ અનુસાર પૂજા કરવાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે, એવામાં દર શુક્રવારે આ ઉપાયો ખાસ કરવા જોઇએ..

  • હિંદુ ધર્મમાં તમામ દિવસો અલગ અલગ દેવી દેવતાને સમર્પિત છે. 
  • મા લક્ષ્મીની વિધિ અનુસાર પૂજા કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. 
  • શુક્રવારના દિવસે શ્રીયંત્રની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. 

હિંદુ ધર્મમાં તમામ દિવસો અલગ અલગ દેવી દેવતાને સમર્પિત છે. શુક્રવારનો દિવસ લક્ષ્મી માતાને સમર્પિત છે. માનવામાં આવે છે કે, આ દિવસે લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. લક્ષ્મી માતાને ધનના દેવી માનવામાં આવે છે. લક્ષ્મી માતાની વિધિ અનુસાર પૂજા કરવાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. શુક્રવારે લક્ષ્મી માતાને તેમની પસંદગીની વસ્તુ અર્પણ કરવી જોઈએ. અહીંયા અમે તમને શુક્રવારના ઉપાય વિશે જણાવી રહ્યા છીએ. 

Topic | VTV Gujarati

શ્રી યંત્રની પૂજા કરો- 
શુક્રવારના દિવસે વિધિ અનુસાર શ્રીયંત્રની પૂજા કરવી તે શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. આ કારણોસર શુક્રવારે શ્રી યંત્ર અને લક્ષ્મી માતાની વિધિ અનુસાર પૂજા કરવી જોઈએ અને શ્રી સૂક્તના પાઠ કરવા જોઈએ. સવાર સાંજ લક્ષ્મીજીને ઘીનો દીવો કરવો જોઈએ, જેથી નાણાંકીય સંકટ દૂર થાય છે અને આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય છે. 

લક્ષ્મી સ્તોત્રના પાઠ કરો- 
શુક્રવારના દિવસે લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા જોઈએ. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર ઈંદ્રદેવે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે લક્ષ્મી સ્તોત્રના પાઠ કર્યા હતા. આ કારણોસર દર શુક્રવારે તમામ ભક્તોએ લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા જોઈએ. 

ઘર અને પરિવારમાં થઈ રહી હોય આવી ઘટનાઓ તો સમજી જજો નારાજ છે ધનન દેવી માતા  લક્ષ્મી, તરત થઈ જાઓ સાવધાન these signs in home indicate maa laxmi will  angry on you

શુક્રવાર માટેના ઉપાય
દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આજે તેમને કમળનું ફૂલ ચઢાવો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જ્યારે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, ત્યારે જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે.

શુક્રવારે થોડા કાળા મરીને પીસીને કાચા દૂધમાં ઉમેરો. આ પછી તમારું નામ અને ગોત્ર બોલ્યા પછી તેને બિલિપત્રના ઝાડ નીચે મૂકો. ભગવાન શંકરને થોડું દૂધ પણ ચઢાવો. આ ઉપાય કરવાથી તમને જલ્દી જ નોકરી મળી જશે. પરીક્ષામાં પણ સફળતા મળે છે.

વધુ વાંચો: જિંદગીભર નીરોગી રહેવા આજે આ રીતે ઉજવો રથ સપ્તમી, શુભ મુહૂર્ત, વ્રત અને કથા વિશે જાણો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન શુક્રને પ્રસન્ન કરવા માટે વૈદિક મંત્ર- ‘ઓમ શુમ શુક્રાય નમઃ’નો 5, 11, 54 અથવા 108 વાર જાપ કરો. આમ કરવાથી ભગવાન શુક્ર પ્રસન્ન થાય છે. આ સિવાય શુક્ર ભગવાનની કૃપા મેળવવા માટે સ્વચ્છ વસ્ત્રો પહેરો અને અત્તરયુક્ત પ્રવાહીનો ઉપયોગ કરો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ