બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Bijal Vyas
Last Updated: 04:50 PM, 30 July 2023
Adhik Purnima 2023: અધિક અને શ્રાવણ મહિનાનું ઘણું મહત્વ છે અને તેની કેટલીક તિથિઓ ખૂબ જ વિશેષ છે. જેમકે- માસિક શિવરાત્રી, પ્રદોષ, અધિક પૂર્ણિમા, શ્રાવણ અમાસ વગેરે. આ વખતે શ્રાવણ મહિનો 59 દિવસનો એટલે કે અધિક માસ હોવાથી આ વર્ષે શ્રાવણ મહિનામાં 2 પૂર્ણિમા અને 2 નવા અમાસ હશે. જેના કારણે આ વખતે લોકોને આ તિથિઓ પર પૂજા, સ્નાન અને દાન કરીને પુણ્ય કમાવવાની બમણી તક મળશે. આ શ્રાવણ પૂર્ણિમાએ એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ પૂર્ણિમા અધિકમાસમાં આવી રહી છે.
શ્રાવણ પૂર્ણિમા 2023 તિથિ
આ વર્ષે શ્રાવણ માસમાં અધિકમાસ પણ આવ્યો છે. અધિકામાસ શરૂ થઈ ગયો છે અને 16મી ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ કારણે શ્રાવણ 59 દિવસનો છે. હિંદુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની પ્રથમ પૂર્ણિમા 1લી ઓગસ્ટે આવી રહી છે. શ્રાવણ પૂર્ણિમા તિથિ 1 ઓગસ્ટના રોજ સવારે 5.21 વાગ્યે શરૂ થશે અને 2 ઓગસ્ટના રોજ સવારે 1.31 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, શ્રાવણ અધિકામાસ પૂર્ણિમા વ્રત 1 ઓગસ્ટ, 2023, મંગળવારના રોજ મનાવવામાં આવશે. મંગળવારના કારણે આ દિવસે મંગળા ગૌરી વ્રત પણ મનાવવામાં આવશે.
શ્રાવણ અધિક પૂર્ણિમા 2023ના શુભ યોગ
શ્રાવણ પૂર્ણિમાના દિવસે મંગળા ગૌરી વ્રત રાખવામાં આવશે. આ ઉપરાંત પૂર્ણિમાના દિવસે 3 ખૂબ જ શુભ યોગ પણ બની રહ્યા છે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે પ્રીતિ યોગ અને આયુષ્માન યોગ રચાશે. આ સાથે ઉત્તરાષદ નક્ષત્ર પણ રહેશે. આ યોગોમાં પૂજા કરવાથી ઘણો ફાયદો થાય છે.
શ્રાવણ પૂર્ણિમાના દિવસે ના કરો આ ભૂલ
શ્રાવણ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ શુભ સંયોહ બની રહ્યો છે. તેથી શ્રાવણ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન કરો. શક્ય હોય તો વ્રત કરો, નિયમ પ્રમાણે પૂજા કરો. આ ઉપરાંત, પૂર્ણિમાના દિવસે કેટલીક ભૂલો કરવાથી બચો, નહીં તો તેનાથી પીડા, નુકસાન અને દુ:ખ થઇ શકે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir