બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અમદાવાદ / Aam Aadmi Party's Gujarat state president Yesudan Gadhvi has announced to contest the Lok Sabha elections in alliance with the Congress.
Vishal Khamar
Last Updated: 07:13 PM, 7 August 2023
ગુજરાતનાં આમ આદમી પાર્ટીનાં પ્રમુખ ઈસુદાન ગઢવીએ સોમવારે એક નિવેદન આપીને રાજકારણમાં હડકંપ મચાવી દીધો હતો કે આપ અને કોંગ્રેસ ગુજરાતમાં આગામી લોકસભાની સીટો વહેંચીને ચૂંટણી લડશે. કારણ કે બંને પાર્ટીઓ વિપક્ષ I.N,D.I.A. ની ગઠબંધનની સભ્ય છે. ત્યારે આ બાબતે ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાર્ટી કેન્દ્રીય નેતૃત્વનાં નિર્દેશોનું પાલન કરશે.
આપ અને કોંગ્રેસ બંને I.N.D.I.A નાં ગઠબંધનનો એક ભાગ
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને I.N.D.I.A નાં ગઠબંધનનો એક ભાગ છે. હાલમાં જ ચૂંટણીને લઈને ગઠબંધનની વાતચીત ચાલી રહી છે. આવા સમયમાં ગુજરાતમાં સીટોનાં વિભાજનની ફોર્મ્યુલા હેઠળ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ બંને સાથે મળીના આગામી લોકસભાની ચૂંટણી લડે છે કે નહી તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.
ભાજપે આમ આદમી પાર્ટીને કોંગ્રેસની "બી ટીમ " ગણાવી
ન્યૂઝ એજન્સીનાં રિપોર્ટ મુજબ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સંભવિત ગઠબંધનને લઈને હાલ સત્તા પર રહેલી પાર્ટીને કોઈ નુકશાન થવાનું નથી. ભાજપે આમ આદમી પાર્ટીને કોંગ્રેસની "બી ટીમ " ગણાવી હતી.
હું ગેરંટી આપું છું કે આ વખતે ભાજપ 26 સીટ નહી જીતી શકેઃ ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીનાં ગુજરાતનાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ લોકો સાથે વાતચીતમાં કહ્યું કે જો બધું યોજના અનુસાર થયું તો હું ગેરંટી આપુ છું કે ભાજપ આ વખતે ગુજરાતમાં 26 સીટ નહી જીતી શકે. તેમજ તેઓએ વધુમાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે અરવિંદ કેઝરીવાલનાં નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી વિપક્ષી I.N.D.I.A નાં ગઠબંધનમાં જોડાઈ છે.
આપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી
ઈસુદાન ગઢવીએ કહ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એવી સીટો શોધવાનું શરૂ કરી દીધું છે. જે સીટ પર પાર્ટી ઉમેદવાર ઉભો રાખી શકે છે. ગુજરાત આમ આદમી પાર્ટીનાં પ્રમુખ દ્વારા અચાનક કરવામાં આવેલ આ જાહેરાત પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હજુ અંતિમ નિર્ણય બાકી છે. કેન્દ્રીય નેતૃત્વ આ અંગે નિર્ણય લેશે.
અન્ય વાટાઘાટો બાદ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશેઃ મનીષ દોશી (પ્રવક્તા કોંગ્રેસ)
ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પત્રકારોને જણાવ્યું કે મને હાલ જ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ જાહેરાત બાબતે હાલ જ જાણવા મળ્યું છે. ત્યારે અન્ય પાર્ટીઓ સાથે સીટો તેમજ અન્ય વાટાઘાટો બાદ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે. ચૂંટણી પહેલા ગઠબંધન પર નિર્ણય લેવો કેન્દ્રીય નેતૃત્વનો વિશેષાધિકારી છે. કેન્દ્રીય નેતૃત્વ જ્યારે પણ આ બાબતે તેઓનો અભિપ્રાય જાણવા માંગશે તો પ્રદેશ સંગઠન આ બાબતે ચર્ચા કરશે. ગુજરાત કોંગ્રેસ રાષ્ટ્રીય નેતાઓનાં નિર્દેશોનું પાલન કરશે.
VIDEO | "Congress and AAP have come together merely for grabbing power but the people of Gujarat and India have faith in PM Modi's government," says Gujarat BJP leader @yamalavyas. pic.twitter.com/6c2IaXW00A
— Press Trust of India (@PTI_News) August 7, 2023
વડાપ્રધાન મોદીનાં નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર કોઈનાથી ડરતી નથી:ઋત્વિજ પટેલ(પ્રવક્તા કોંગ્રેસ)
ભાજપે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ જાહેરાત પર ધ્યાન આપ્યું નથી. ગુજરાત ભાજપનાં પ્રવક્તા ઋત્વિજ પટેલ કહ્યું કે અમે છેલ્લી બે ટર્મથી ગુજરાતમાં તમાં 26 લોકસભા સીટો જીતી રહ્યા છે. આ વખતે અમારૂ લક્ષ્ય 5 લાખ મતોમાં માર્જીનથી તમામ સીટો જીતવાનો લક્ષ્યાંક છે. ત્યારે વડાપ્રધાન મોદીનાં નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર કોઈનાથી ડરતી નથી. અમને ચૂંટણીમાં જીત હાંસલ કરવાનો સંપૂર્ણ વિશ્વાસ છે. ત્યારે તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ એકબીજાની વિરૂદ્ધમાં હતા. જેમાં કોંગ્રેસને 17 અને આપ ને 5 સીટ મળી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir