બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A steady rise in winter heart attack cases in the state
Malay
Last Updated: 09:07 AM, 28 December 2022
ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ધીમેધીમે વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ છે. 8.1 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો અમદાવાદમાં પણ 12.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ડીસામાં 10.4, ગાંધીનગરમાં 11.4, વડોદરામાં 15, સુરતમાં 14.6, વલસાડમાં 14, ભુજમાં 10, ભાવનગરમાં 13.7, દ્વારકામાં 15.6, પોરબંદરમાં 11.6, રાજકોટમાં 10, સુરેન્દ્રનગરમાં 12.5 અને મહુવામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હૃદયરોગના હુમલાના કેસમાં સતત વધારો
રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા હૃદયરોગના હુમલાના કેસમાં સતત વધારો થયો છે. હૃદયરોગના હુમલામાં ગુજરાત દેશમાં 3 નંબરે છે. ગુજરાતમાં ડિસેમ્બરના 25 દિવસમાં 108 એમ્બ્યુલન્સને કાર્ડિયેક ઈમરજન્સીના 4463 કેસ મળ્યા છે. કોરોના સમયે હૃદયરોગના હુમલા રોજના 101 કેસ હતા, જે હવે 178 કેસ થયા છે. એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં વર્ષ 2021માં હૃદયરોગના હુમલાથી 2948 દર્દીના મોત થયા હતા.
વહેલી સવારે કાર્ડિયોવાસ્ક્યુલરના જોવા મળે છે સૌથી વધારે
કાતિલ ઠંડીને પગલે હૃદય સંબધિત સમસ્યાના પ્રમાણમાં વધારો નોંધાયો છે. શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલામાં આશરે 20 ટકાનો વધારો નોંધાય છે. ખાસ કરીને વહેલી સવાર દરમિયાન કાર્ડિયોવાસ્ક્યુલરના કેસ વધારે જોવા મળતાં હોય છે. કાર્ડિયોલોજીસ્ટોના મતે શિયાળા દરમિયાન હૃદય સંબધિત સમસ્યા ધરાવનારાઓએ વિશેષ તકેદારી રાખવી હિતાવહ છે.
આ લોકોમાં હૃદયરોગના હુમલાનું જોખમ વધારે
કાર્ડિયોલોજિસ્ટોના જણાવ્યા અનુસાર, હૃદયની સમસ્યાઓ, મેદસ્વીપણું, જીવનશૈલી સાથે સંબંધિત રોગો ધરાવતા લોકો સહિત વસ્તીનો એક મોટો વર્ગ તથા બેઠાડું જીવનશૈલી જીવતા લોકોમાં શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલાનું જોખમ વધારે હોય છે. આ ઉપરાંત વયોવૃદ્ધ અને પથારીવશ લોકોમાં પણ જોખમ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir