બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A special pooja was organized at Somnath temple as the risk of cyclone increased
Malay
Last Updated: 03:30 PM, 13 June 2023
હાલ 'બિપરજોય' વાવાઝોડું દ્વારકાથી 280 કિલોમીટર દૂર છે. જ્યારે પોરબંદરથી 300 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત નલિયાથી 330 કિલોમીટર અને જખૌથી 310 કિલોમીટર દૂર છે. વાવાઝોડું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે વાવાઝોડાને શાંત કરવા માટે રાવલપીર ગામના લોકો દ્વારા દરિયા દેવની પૂજા કરવામાં આવી હતી. તો સોમનાથ મંદિરમાં પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી.
રાવલપીર ગામના લોકોએ કરી દરિયાદેવની પૂજા
બિપોરજોય વાવાજોડાને લઈ દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, દરિયા અને વાવાઝોડાને શાંત પાડવા માટે કચ્છના રાવલપીર ગામમાં દરિયા દેવની પૂજા કરવામાં આવી છે. આજે ગામના તમામ લોકો દરિયા કિનારે પહોંચ્યા હતા. જ્યાં ગ્રામજનોએ દરિયાદેવને પ્રાર્થના કરી હતી. કચ્છમાં વાવાઝોડાનો ખતરો વધતા રાવલપીર ગામના લોકોએ પ્રાર્થના કરી હતી.
સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરાઈ
મહાવિનાશક બિપોરજોય ચક્રવાતનો ગુજરાત પર ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે આ મહાવિનાશક વાવાઝોડું સમુદ્રમાં જ સમાઈ જાય અને દેશ અને રાજ્યમાં કોઈ જાનહાનિ ન થાય તે માટે સોમનાથ મહાદેવના મંદિરે સોમનાથ દાદાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. તીર્થ પુરોહિતો દ્વારા સોમનાથ મહાદેવને રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
MLA પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ કરી હતી પૂજા
આપને જણાવી દઈએ કે, બે દિવસ અગાઉ કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જખૌના દરિયા કિનારે પૂજા કરી હતી. વાવાઝોડું શાંત થાય અને કોઇને નુકસાન ન થાય તે માટે પૂજા કરી મા આશાપુરાને ચુંદડી અને શ્રીફળ ચઢાવ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir