બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / A research has revealed that people who sleep less have an increased level of anxiety
Pooja Khunti
Last Updated: 10:32 AM, 27 December 2023
ઊંઘનું મહત્વ
ઊંઘ સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે. દરેક લોકોએ દિવસમાં ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ પૂરતી ઊંઘ ન લેવાના કારણે લોકોને ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. આ વાતને લઈને એક સંશોધન સામે આવ્યું છે. જેની અંદર ચોંકાવનારા ખુલાસા થયા છે. શોધ મુજબ પૂરતી ઊંઘ ન લેવાના કારણે તમારી ખુશીઓમાં ઘટાડો થઈ શકે છે. આ સાથે માનસિક સમસ્યા અને જીવનમાં ચિંતાનું પ્રમાણ વધી જાય છે. આ સંશોધનમાં એ પણ જાણવા મળ્યું કે ઘણા લોકો પૂરતી ઊંઘ નથી લેતા, જેના કારણે તેઓ બીમારી પડી જાય છે.
સંશોધન
આ અભ્યાસ અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન (APA) દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. જેમા જણાવ્યું હતું કે પૂરતી ઊંઘ ન કરવાના કારણે લોકોનું ભાવનાત્મક સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે અને તેમની ખુશીઓમાં પણ ઘટાડો આવી શકે છે. આ કારણે લોકોની અંદર ચિંતાનું પ્રમાણ વધી જાય છે. આ અભ્યાસની અંદર વૈજ્ઞાનિકોએ લગભગ 50 વર્ષ સુધી ઊંઘની ઉણપ અને મૂડ વચ્ચેનાં સંબંધ પર સંશોધન કર્યું હતું. આ અભ્યાસની અંદર 5700 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમા સૌથી વધુ પ્રમાણ યુવાન અને કિશોર અવસ્થાનાં લોકોનું હતું. આ સાથે સંશોધકોએ પાછળનાં 50 વર્ષનાં 154 અભ્યાસનું વિશ્લેષણ પણ કર્યું હતું.
30% વયસ્કો અને 90 % કિશોરો પૂરતી ઊંઘ લેતા નથી
આ અભ્યાસની અંદર એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સંસોધનનાં લેખક મુજબ 30 ટકા પુક્ત વયનાં લોકો અને 90 ટકા કિશોરોને પૂરતી ઊંઘ નથી આવતી. પૂરતી ઊંઘ ન લેવામાં યુવાનોનું પ્રમાણ વધુ હતું. એવું માનવામાં આવે છે કે આપણા સમાજમાં મોટાભાગનાં લોકો પૂરતી માત્રામાં ઊંઘ લેતા નથી. જેના કારણે સ્વાસ્થ્ય પર વિપરીત અસર જોવા મળે છે. આ સંદર્ભમાં, આ સંશોધન મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ઓછી ઊંઘ સ્વાસ્થ્ય માટે ખુબજ જોખમી
સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું એવું કહેવું છે કે ઓછી ઊંઘ સ્વાસ્થ્ય માટે ખુબજ જોખમી છે. સતત ઓછી ઊંઘનાં કારણે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. ઓછી ઊંઘનાં કારણે સ્થૂળતા, ડાયાબિટીસ, હાર્ટ અટેક, હ્રદય રોગ, બ્લડ પ્રેશર, કિડનીને લગતી સમસ્યાઓ, કેન્સર, માનસિક સમસ્યાઓ સાથે અનેક બમારીઓનું જોખમ વધી જાય છે. એટલા માટે દરેક વ્યક્તિએ નિયમિત રીતે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir