બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Dinesh
Last Updated: 05:25 PM, 11 July 2023
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં ભાડેથી એક માતા અને બે પુત્રીઓ 20 દિવસ પહેલા રહેવા આવ્યા હતા. માતા દક્ષાબેન ચૌહાણ, તેમની બી કોમમાં અભ્યાસ કરતી પુત્રી હની ચૌહાણ અને ધોરણ 9માં અભ્યાસ કરતી શાલીની ચૌહાણ સાથે એકલા રહેતા હતાં. દક્ષાબેનને બે પુત્રીઓ થતાં તેમના પતિ અશોક ચૌહાણે છોડી મૂકી હતી. પતિ સાથે છૂટાછેડા થયા બાદ દક્ષાબેન તેમની બંને પુત્રીઓ સાથે વડોદરામાં એકલા રહેતા હતા. દક્ષાબેન નોકરી કરી પોતાનું ઘર ચલાવતા હતા અને બંને પુત્રીઓને ભણાવતા પણ હતા. પરંતુ છેલ્લા થોડાક સમયથી આર્થિક સ્થિતિ વધુ ખરાબ બનતાં તે હિંમત હારી ગયા હતા.
કારેલીબાગની અક્ષતા સોસાયટીની ઘટના
દક્ષાબેન પાસે ઘરનું ભાડું ભરવા અને બંને પુત્રીઓની સ્કૂલ કોલેજ ફી ભરવા માટે રૂપિયા ન હોવાથી તેમને બંને પુત્રીઓની હત્યા કરી પોતે આપઘાત કરવાનો પ્લાન બનાવ્યો હતો. દક્ષાબેનએ બંને પુત્રીઓને ઝેરી દવા આપી, બાદમાં બંનેને ગળે ટુંપો આપી હત્યા કરી નાખી હતી. બાદમાં પોતે પણ ઝેરી દવા પી ગળેફાંસો ખાઈ આપઘાત કરવાની કોશિશ કરી હતી પરંતુ મકાન માલિક જોઈ જતાં તેમને બચાવી લેવાયા હતા. ઘટનાના પગલે દક્ષાબેનના ભાઈ અને બહેન ઘરે દોડી આવ્યા હતા. દક્ષા ચૌહાણની બહેન નિલમ મકવાણાએ કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી આર્થિક સ્થિતિ ખરાબ હતી અને 2 પુત્રીઓના જન્મી હોવાને કારણે પતિએ તરછોડી દીધી હતી તેમજ ઘણા વર્ષોથી દક્ષાબેન બન્ને પુત્રીઓનો ઉછેર કરી રહ્યાં હતાં
પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
સમગ્ર ઘટનાની માહિતી કારેલીબાગ પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે FSLની ટીમને બોલાવી તેમની પણ મદદ લેવાઈ હતી. પોલીસને ઘરમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી જેની પણ પોલીસ તપાસ કરી રહી છે. ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે માતાએ પોતાની બંને પુત્રીઓની હત્યા કરી બાદમાં પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સુસાઇડ નોટ કબજે કરી માતા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir