બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A farmer of Chhatdia village of Dhari taluka of Amreli district committed suicide and caused a stir in the parish.
Dinesh
Last Updated: 11:29 PM, 10 December 2023
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા ગામના ખેડૂતે આપઘાત કરતાં પંથકમાં ચકચાર મચી છે. બાલાભાઈ ઓધવજીભાઈ નાડોદ્રા નામના ખેડૂત 3 વીઘા ખેતી કરીને પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. ખેતી માટે તેઓએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી લોન લીધી હતી. લોન ભરપાઈ નહી કરી શકતાં બેંક દ્વારા અવાર નવાર નોટિસ આવતી હતી. રૂપિયા 3 લાખ 59 હજાર બાકી લેણું ભરવાની ક્ષમતા નહી હોવાથી પોતાના ઘરમાં દોરડા વળે ગળેફાંસો ખાઇને મોતને વ્હાલુ કર્યુ હતુ.
વારંવાર મળતી હતી નોટિસો
પરિવારજનોએ 108 વડે ધારી સરકારી દવાખાને ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ખેડૂતને મૃત જાહેર કર્યા હતા. મૃતકના ખિસ્સામાંથી મળેલી બેંકની નોટિસ પોલીસે કબજે લીધી હતી. બેંકમાં લોન નહી ભરી શકવાથી વારંવાર મળતી નોટિસોના કારણે આપઘાત કર્યો હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પોલીસ તપાસમાં આર્થિક સંકડામણના કારણે ખેડૂતે આપઘાત કર્યો હોવાનુ પ્રાથમિક તારણ આવતાં તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.
પોલીસ તપાસ હાથ ધરી
બાલાભાઈ નાડોદ્રાએ બેંક ધીરાણ ના ભરી શકવાને કારણે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું પરિજનો જણાવી રહ્યા છે જ્યારે ધારી ડિવિઝનના dysp હરેશ વોરાએ હાલ આર્થિક સંકડામણ ને કારણે પગલું ભર્યું હોવાનું જણાવી આગળની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. એક તરફ ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરતી સરકારમાં ખેડૂતોને આર્થિક સંકડામણ અને બેંક ધીરાણની નોટીસ મળવાથી આપઘાત કરવાનો કિસ્સો અમરેલી જિલ્લામાં સામે આવ્યો છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir